Home Bharuch ઝનોર પંચાયતના આદિવાસી મહિલા સરપંચ સહિત તેમના પતિ અને અન્ય ત્રણ ઉપર...

ઝનોર પંચાયતના આદિવાસી મહિલા સરપંચ સહિત તેમના પતિ અને અન્ય ત્રણ ઉપર માછી સમાજના લોકોનો હુમલો…

0

Published by : Rana Kajal

  • મચ્છી તળાવનો ઠરાવ પંચાયતમાં કેમ રદ કર્યા કહી પૂર્વ સરપંચ અને તેમના કુટુંબે જાતિવિષયક અપશબ્દો બોલી માર માર્યો…

ઝનોર ગ્રામ પંચાયતના આદિવાસી મહિલા સરપંચ અને તેમના પતિને આંતરી પૂર્વ સરપંચ સહિત માછી સમાજના 9 શખ્સોએ ધમકી આપી માર માર્યો હોય કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદન અપાયું હતું.

ઝનોર ગામના મહિલા સરપંચ મંજુલાબેન વસાવા તેમના પતિ બાબરભાઈ વસાવા સહિતના અન્ય લોકો સાથે સોમવારે પાદર થઈ પંચાયત જતા હતા. ત્યારે ગામના માજી સરપંચ સહિત તેમના કુટુંબના માછી સમાજના દિનેશ માછી તેમના પુત્રો જયેશ, વિધુર સહિત 9 લોકોએ તેમને અટકાવ્યા હતા.મહિલા સરપંચ અને તેમના પતિને જાતિવિષયક અપશબ્દો બોલી અમારા મચ્છી તળાવનો ઠરાવ કેમ રદ કરાવ્યો કહી ઝઘડો કર્યો હતો. મહિલા સરપંચના પતિ તેમજ વચ્ચે છોડાવવા પડેલા ગામના મહેશભાઈને પણ આ લોકોએ માર માર્યો હતો. જ્યારે મહિલા સરપંચ સાથે પણ ઝપાઝપી કરી ધમકી આપી હતી. જે અંગે નબીપુર પોલીસમાં રજુઆત કર્યા બાદ આજે મંગળવારે મહિલા સરપંચ, ગ્રામ પંચાયત અને આદિવાસી સમાજે આર.ડી.સી. એન.આર.ધાંધલ ને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ગામના આ માથેભારે શકશો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version