ઝાડેશ્વર ગામના જનનાયક સ્વ. જયેશ પટેલ પરિવાર દ્વારા 31 ડિસેમ્બરે પ્રવેશદ્વાર,શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ તેમજ સ્વ. જયેશ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરાશે.
ઝાડેશ્વર ગામે વર્ષ 1960માં એક દીકરીને અન્ય શાળામાં પ્રવેશ નહિ મળતા સાર્વજનિક સ્કૂલ એક રૂમમાં શરૂ કરાઈ હતી. ત્યારબાદ ગામના કેશવ નંદજી મહારાજે તેમની જગ્યા આપતા કે.જી.એમ .વિદ્યાલય કાર્યરત થઈ.ગામના સામાજિક અને ભામાશા જયેશ અંબાલાલ પટેલ 2004મા પ્રમુખ તરીકે શાળાનું સંકુલ સંભાળ્યુ. વર્ષ 2019માં તેઓએ શાળાના નવા બિલ્ડીંગ બનાવવાની ચિંતા બતાવી. જોકે 19 જૂને જયેશ કાકાનું અવસાન થયું.સ્વ. જયેશ પટેલના ધર્મપત્ની કલ્પનાબેને 26 જાન્યુઆરી 2020 ના રોજ જયેશભાઈ અંબાલાલ પટેલ શૈક્ષણિક સંકુલ તથા અંબાલાલ ગુલાબભાઈ પટેલ વહીવટી સંકુલની જાહેરાત કરી. તેઓ અને તેમના પુત્ર મહર્ષિ પટેલે એકલા હાથે રૂપિયા ચાર કરોડના ખર્ચે નવા શૈક્ષણિક ભવનનું નિર્માણ કર્યું. જે ભવનનું લોકાર્પણ 31 ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાકથી રાખ્યું છે.સાથે જ ઝાડેશ્વર ગામના મુખ્ય માર્ગ ઉપર માતૃશ્રી શાંતાબેન અંબાલાલ પટેલ પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ કરાશે અને સ્વ. જયેશ કાકાના સ્ટેચ્યુનું અનાવરણ કરાશે.