Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeCricketટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો ઈજાના લીધે સંજુ સેમસન બહાર…

ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો ઈજાના લીધે સંજુ સેમસન બહાર…

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી પુણેમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે. આ સાથે જ શ્રીલંકાની ટીમે મેચ જીતીને સીરીઝમાં 1-1થી બરાબરી કરવા માંગે છે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર જીતેશ શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત સંજુ સેમસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત પાસે ચોથી સિરીઝ જીતવાની તક છે
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં એક કરતાં વધુ મેચોની 6 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે. 4માં ભારત અને એકમાં શ્રીલંકાનો વિજય થયો હતો. એક સિરીઝ ડ્રો થઈ હતી. શ્રીલંકાની ટીમ અત્યાર સુધી ભારતને એક પણ સિરીઝમાં હરાવી શકી નથી. આવી સ્થિતિમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ બાકીની બંને મેચ જીતીને ભારતમાં પ્રથમ T20 સિરીઝ જીતીને રેકોર્ડ બનાવી શકે છે.

સંજુ સેમસન નહીં રમે
ભારતનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન બીજી T20માં નહીં રમે. સેમસન પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેચ બાદ તેના પગમાં સોજો આવી ગયો હતો.સંજુ સોજોનું સ્કેન કરાવવા મુંબઈમાં જ રહ્યો અને ટીમ સાથે પુણે આવ્યો ન હતો. સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને ટી20 સિરીઝ ન રમવાની સલાહ આપી હતી. પસંદગી સમિતિએ તેને સિરીઝમાંથી બહાર કરી દીધો હતો વિદર્ભના જીતેશ શર્માનો ટીમમાં સમાવેશ કરાયો છે. સેમસનની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અથવા રાહુલ ત્રિપાઠીને તક મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!