Published By : Parul Patel
ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. આવી ઘટનાઓના શિકાર મોટાભાગે વિદ્યાર્થી વર્ગ અને યુવાનો બની રહા છે. આ વિશે માહિતી હોવી ખુબજ આગત્યનું છે.
આજકાલ લગભગ દરેક વ્યક્તિ, ગરીબ-તવંગર બધાજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઘણા બધા રોજીંદા કામ સ્માર્ટ ફોન (Smart Phone) દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આની સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. આનાથી લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. દરરોજ એવા ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે સૌ કોઈ જાણે છે.

જાણો સાયબર ક્રાઈમનો શિકાર બનેલ વ્યક્તિ કેવી રીતે બચી શકે:
આ વિશે મોટાભાગના લોકો જાણતા નથી. આજે આપણે જાણીશું કે, આ પ્રકારની ઘટના જો તમારા સાથે બને છે તો… ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરો. આ માટે સૌથી પહેલા ઓનલાઈન નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર જાઓ. આ પ્લેટફોર્મ પર સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ કરવી. આ પોર્ટલ પર હેકિંગ કેસ, ઓનલાઈન સ્કેમ, ઓળખ કાર્ડની ચોરીના કેસ અને સાયબર ધમકી જેવા ઘણા સાયબર ક્રાઈમ કેસની જાણ કરી શકાય છે.
ઓનલાઇન ફરિયાદની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવી. આ પ્રકારની ઘટના અંગેની જાણ પોલીસને કરવી ખૂબ જ અગત્યની છે. જો તમારી સાથે આવો કોઈ કેસ બને છે, તો ઓનલાઇન ફરિયાદની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ તેની જાણ કરવી જરૂરી છે.
આ સાથે હેલ્પલાઇન નંબર પર કોલ કરી ફરિયાદ કરવી. 1930 એ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર છે, તે સાયબર ક્રાઇમ કેસોની ફરિયાદ કરવા માટેનો નંબર છે. આ હેલ્પલાઇન નંબર તમારી મદદ માટે 24×7 ઉપલબ્ધ રહે છે. આ 1930 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર પણ જાણ કરવી મહત્વપૂર્ણ છે.