Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratટ્રાફિક નિયમનને લઈ વિપક્ષે સ્થાનિક કોર્પોરેટરને ગૃહપ્રધાન સાથે સરખાવીને લીધી ચુટકી, જવાબ...

ટ્રાફિક નિયમનને લઈ વિપક્ષે સ્થાનિક કોર્પોરેટરને ગૃહપ્રધાન સાથે સરખાવીને લીધી ચુટકી, જવાબ મળ્યો ‘કોંગ્રેસની માનસિક્તા જ ખોટી’- વિજય ચૌમાલ

આ અંગે અસલમ સાયકલવાલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ વિભાગની દુર્દશા એ છે કે કાઉન્સિલરની સૂચના મુજબ જ ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડે છે.

સુરત શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખાડીઓના જળસ્તર વધવાને કારણે મગોબ, પર્વત પાટિયા, પરવત ગામ, ડુંભાલ, મીઠીખાડી વિસ્તારમાં વાહનવ્યવહાર મુશ્કેલ બન્યો હતો.. રસ્તા પર વહેતું પાણી. પરવટ પાટિયા કાંગારૂ સર્કલથી લગર પરવત ગામ સુધીના મધ્ય રીંગ રોડ પરની ખાડીમાંથી ત્રણથી ચાર ફૂટ પાણીના વહેણને કારણે આ રોડ પરના વાહનો ફરી વળ્યા હતા. જેના કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

તેવામાં આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર વિજય ચૌમાલે જાતે ટ્રાફિક પોઈન્ટ પર આવીને ટ્રાફિક નિયમન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ટ્રાફિક પીઆઈને સ્થળ પર બોલાવીને ટ્રાફિકની કામગીરી માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સ્થાનિક કાઉન્સિલર પોલીસને તેમના વિસ્તારના લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જરૂરી નિર્દેશો આપતા નજરે ચડ્યા હતા. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

કોર્પોરેટર બન્યા સવાયા ગૃહરાજ્યમંત્રી : અસલમ સાઇકલવાળા

ત્યારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અસલમ સાયકલવાલાએ સોશિયલ મીડિયા પર કાઉન્સિલર વિજય ચૌમાલ પર ટિપ્પણી કરતા લખ્યું છે કે વિજય ચૌમાલ રાજ્યના ગૃહમંત્રીની ભૂમિકામાં આવીને ટ્રાફિક પીઆઈને ટ્રાફિકની કામગીરી અંગે માહિતી આપી રહ્યા છે. ટ્રાફિક પીઆઈ ગામીતને આપેલી માહિતીની માહિતી ખુદ વિજય ચૌમલે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ અંગે અસલમ સાયકલવાલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ વિભાગની દુર્દશા એ છે કે કાઉન્સિલરની સૂચના મુજબ જ ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડે છે.

કોંગ્રેસની માનસિકતા ખોટું અર્થઘટન કરવાની : વિજય ચૌમાલ

આ અંગે કાઉન્સિલર વિજય ચૌમલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસની માનસિકતા છે. અમારા વિસ્તારમાં જનતાને પડતી સમસ્યાઓથી ટ્રાફિક પીઆઈને વાકેફ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે તેઓ મારી સરખામણી રાજ્યના ગૃહમંત્રી સાથે કરે તો એમાં તેમનો વાંક નથી, કોંગ્રેસની માનસિકતા એનું ખોટું અર્થઘટન કરવાની છે. મેં મારા વિસ્તારના લોકો અને વાહનચાલકોની સુવિધા માટે જ પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસની માનસિકતા ખોટું અર્થઘટન કરવાની : વિજય ચૌમાલ

આ અંગે કાઉન્સિલર વિજય ચૌમલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસની માનસિકતા છે. અમારા વિસ્તારમાં જનતાને પડતી સમસ્યાઓથી ટ્રાફિક પીઆઈને વાકેફ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે તેઓ મારી સરખામણી રાજ્યના ગૃહમંત્રી સાથે કરે તો એમાં તેમનો વાંક નથી, કોંગ્રેસની માનસિકતા એનું ખોટું અર્થઘટન કરવાની છે. મેં મારા વિસ્તારના લોકો અને વાહનચાલકોની સુવિધા માટે જ પ્રયાસ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!