ભરૂચ તાલુકાના ઝનોર અને ડભાલી વચ્ચે કેનાલમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી પ્રવેશી ચુક્યા છે અને તેના કારણે વ્યાપક નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં પણ પાણી પ્રવેશ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નર્મદા નહેર યોજનાની એક બ્રાંચ અમલેશ્વર તરફ જાય છે ઝનોરથી ડભાલી તરફ જતી કેનાલમાં ભંગાણ સર્જાયું હતું જેના પરિણામે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતોની સાથે નહેરમાં ભંગાણ સર્જાતાં ખેડૂતોને ખુબ આર્થિક નુકશાન થઇ રહ્યું છે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર નહેરના પાણીના કારણે મોટા પાયે નુકશાન થયું છે. સોમવારે સવારે ૧૦ કલાકથી ભંગાણ સર્જાયા બાદ નહેરના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. એક તરફ વરસાદી પાણીનો ભરાવો અને બીજી તરફ નહેરના પાણીના કારણે ધરતીપુત્રોએ પાક સારો થશે તેવી આશા છોડી દીધી છે.