તાજેતરમાં ડેડીયાપાડાનાં તાલુકા વિકાસ અધિકારી સામે પોલીસ ફરીયાદ નોધાતા ચકચાર મચી ગઇ છે.આ અંગેની વિગત જોતાં મોઝદા સિ એચ સિ ખાતે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો ચિરાગ દેસાઈ એ તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા સામે નોંધાવેલ પોલીસ ફરીયાદ માં જણાવ્યુ છે કે તા. 12ઓગસ્ટ નાં રોજ એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજયું હતું જેનું પોસ્ટ મોર્ટમ કર્યાં બાદ વિસેરા નાં સેમ્પલ એફ એસ એલ માં મોકલ્યા હતા.જે અંગે તાલુકા વિકાસ અધિકારી ગુસ્સે થયા હતા અને જણાવ્યુ હતું કે વિસેરા એફ એસ એલ માં કેમ મોકલ્યા કાયદો ગમે તે હોય હું કાયદો જોતો નથી… મારી નાખીશ….હાલ તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સામે ડેડીયાપાડા પોલીસ મથક ખાતે ફરીયાદ નોધવામાં આવી છે.
ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે હું કાયદો જોતો નથી… મારી નાખીશ…. મામલો પોલીસ મથકે પહોંચ્યો…
RELATED ARTICLES