છેલ્લા ઘણા વર્ષોથી ટેલીવિઝન પર રીતસર રાજ કરનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સ વારા ફરતે શો છોડી રહ્યા છે અને તેના કારણે હવે ઘણા દર્શકો ફરિયાદ કરી રહ્યા છે કે શો માં પહેલા જેવી મજા નથી રહી. સતત આવા સમાચારો વચ્ચે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.ગુજરાત સહિત દેશના સેંકડો ઘરોમાં સાંજના સમયે જોવાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી અગાઉ દયાબેન દિશા વાંકાણી, તારક મહેતા શૈલેષ લોઢા અને ટપૂ સહિતના અનેક કલાકારો રજા લઈ ચૂક્યા છે. જેના કારણે ઓલરેડી શોના વ્યુઅરશીપને અસર પડી છે. 14 વર્ષથી શો ના ડાયરેક્ટર છોડી ગયા. આ બધાની વચ્ચે છેલ્લા 14 વર્ષથી શો ના ડાયરેક્ટર રહી ચૂકેલા માલવ રાઝદા પણ શો છોડી રહ્યા છે. આ સમાચારથી ટેલીવિઝનની દુનિયામાં ઘણા લોકોને આંચકો લાગ્યો છે. તો ચાહકોને પણ ફફડાટ છે કે હવે શોની ક્વોલોટી પહેલા જેવી નહીં રહે.

માલવ રાજદાનું શો છોડવાનું કારણ જ્યારે માલવ રાજદાને શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ’14 વર્ષ સુધી શો કર્યા પછી મને લાગ્યું કે હું કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છું. મેં વિચાર્યું કે સર્જનાત્મક રીતે આગળ વધીએ, ચાલો તેમાંથી બહાર નીકળીએ અને આપણી જાતને પડકાર આપીએ. આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષો હતા. આ શોથી મેં માત્ર પૈસા અને પ્રસિદ્ધિ જ નહીં, પણ મને મારી લાઈફ પાર્ટનર પ્રિયા પણ મળી. વિતેલા વર્ષને ખુશનુમા ગણાવ્યું હતું.