Published by : Anu Shukla
- તુર્કેઈમાં લગભગ 5 લાખ આવાસ એકમોનું પુનર્નિર્માણ કરવું પડશે
- તુર્કીના ઈતિહાસની સૌથી મોટી કુદરતી આફત – લુઈસા વિન્ટન
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના એક અધિકારીના અનુમાન મુજબ તાજેતરના ભૂકંપના કારણે તુર્કેઈમાં 15 લાખ લોકો ઘરવિહોણ થઈ ગયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં લગભગ 5 લાખ આવાસ એકમોનું પુનર્નિર્માણ કરવું પડશે.
UNDP તુર્કેઈના નિવાસી પ્રતિનિધિ લુઈસા વિન્ટને જણાવ્યું કે, દેશની સરકારે ભૂકંપથી પ્રભાવિત લગભગ 70 ટકા ઈમારતોનું નિરીક્ષણ કર્યું છે. જેમાંથી 4,12,000 મકાનો ધરાશાયી થયાની માહિતી મળી છે.
તુર્કેઈના ઈતિહાસની સૌથી મોટી કુદરતી આફત
ભૂકંપના કારણે ત્યાં વિશાળ કાટમાળનો ઢેર ઉભો થયો છે જેને સાફ કરવાની જરૂર છે. તેમજ UNDP પણ આ જોખમી કચરાના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. પ્રથમ ભૂકંપના બે અઠવાડિયા પછી તુર્કેઈના ઇતિહાસની સૌથી મોટી કુદરતી આફત ગણાવી છે.
ભૂકંપ પછી અલગ અલગ બીમારીમાં વધારો
સરકારે રવિવારે ભૂકંપ માટે શોધ અને બચાવનો પ્રથમ તબક્કો પૂરો કર્યો હતો અને લગભગ 300 કલાક પછી કાટમાળમાંથી છેલ્લી વ્યક્તિને બહાર નીકળી બચાવવામાં આવી હતી. ત્યારબાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાં, શ્વસન સંબંધી રોગો, કોલેરા, હેપેટાઇટિસ A અને ઓરીનું જોખમ વધારે છે.