Home News Update Nation Update તોફાની વાંદરાને ઝેર આપી મારી નાંખવાનો બનાવ… 09 લોકોની ધરપકડ…

તોફાની વાંદરાને ઝેર આપી મારી નાંખવાનો બનાવ… 09 લોકોની ધરપકડ…

0

Published by: Rana kajal

  • તોફાની વાંદરાઓને ઝેર આપી મારી નાખવા બાબતે 09 લોકોની ધરપકડ કરવામાં આવી હતી…

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં વાનરોના શંકાસ્પદ અવસ્થામાં મોત થતાં હડકંપ મચી ગયો હતો આ તમામ વાનરોને ઝેર આપીને મારી નાખ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના આઈટીઆઈ પોલીસ ચોકીના જૈતપુર ઘોસીની છે. સ્થાનિક લોકોની સૂચના પર એસએસપી ડો. મંજૂનાથ ટીસીએ તપાસના આદેશ આપ્યા છે. જે બાદ પોલીસની ટીમે આંબાના બગીચાની મુલાકાત લીધી હતી અને જે જગ્યા પર વાનરોને દફનાવ્યા હતા. પોલીસે ત્યાં ખોદકામ કરીને વાનરોની લાશને બહાર કાઢી અને પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોલીસે આ મામલામાં નવ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી છે. કાશીપુર વિધાનસભાના આઈટીઆઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જૈતપુર ધોસીમાં આંબાના બગીચાની દેખરેખ રાખતા લોકોએ વાનરોને ઝેર આપીને મારી નાખ્યા અને તેમની લાશને બગીચામાં દફનાવી દીધી. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક લોકોએ આઈટીઆઈ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસ આવી પહોંચી અને દફનાવેલ વાનરોની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. આરોપીઓ છોટે ખાં, ઈમરાન, અફઝલ, અનવર, નદીમ, મુબારક, નાઝિમ, મોહમ્મદ અને ઈમામુદ્દીન વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓને કોર્ટમાં મોકલી તેમના રેકોર્ડ તપાસમાં આવી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version