Published by : Rana Kajal
- હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનની શરુઆત…
મહારાષ્ટ્રના નાસિકનાત્રંબકેશ્વર મંદિર ખાતે કેટલાક લોકો માથે ચાદર લઈ આવ્યા હતા. આવેલ લોકોએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરનાં ગાર્ડ દ્વારા તેમને અટકાવવા જતા ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. જેનો વિડિયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ ગતરોજ મંગળવારે આ બાબતે FIR દાખલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બનાવ અંગે એસ આઇ ટી તપાસનો આદેશ કર્યો છે. અત્રે નોંધવું રહ્યું કે આ મંદિરમાં માત્ર હિંદુઓજ પ્રવેશ કરી શકે તેમ મંદિરનાં ટ્રસ્ટીઓનુ માનવું છે. જૉકે હાલમાં હિંદુ સંગઠનો દ્વારા આ ધટના અંગે વીરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.