Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAhmedabadદર્શન સોલંકીની રહસ્યમય આત્મહત્યાનો કેસ…

દર્શન સોલંકીની રહસ્યમય આત્મહત્યાનો કેસ…

Published by: Rana kajal

કૉલેજ કેમ્પસમાં જ્ઞાતિ ભેદભાવ હોય ત્યારે સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ શું કરે છે? ….. કયા છે સમાજ સુધારકો અને સમાજ સેવકો….હાલમાં મુંબઈ ખાતે રહીને અભ્યાસ કરતા દર્શન સોલંકીની આત્મહત્યાના બનાવના પગલે સૌ ચોંકી ઉઠ્યા છે શું જાતિવાદના ધોરણો અને ઉંચ નીચના માપદંડો હજી પણ ચાલી રહ્યા છે? મોટી નામના પાત્ર કૉલેજ કેમ્પસમા આવા ભેદભાવને અંકુશમા લાવવા અંગે કેમ કોઇ સફળ પ્રયાસો કેમ કરવામા નથી આવ્યાં …. કયા સુઘી આમનું આમ ચાલ્યા કરશે….આ તમામ બાબતો લોકચર્ચામા ઘુમરાઈ રહયા છે …. હાલમાંજ બનેલી આ આત્મહત્યા સાથે સંકળાયેલી ઘટનાની વિગત જોતા તા 12 ફેબ્રુઆરીએ બપોરે 12.20 કલાકે દર્શન સોલંકીએ તેના પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. દર્શન આઈઆઈટી બોમ્બેમાં બીટેકના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. રવિવારે કરવામાં આવેલા આ કોલમાં દર્શને તેના પરિવારને કહ્યું હતુ કે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, તેથી તે તેના મિત્રો સાથે જુહુ ચોપાટી અને ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લેવા જશે…. અને વિડિયો કોલ પૂરો થયો… ત્યાર બાદ શું થયું હશે. તેની એક કાલ્પનિક વૈચારિક બાબત એમ વર્ણવી શકાય કે વિડિયો કોલ બાદ દર્શન અને તેના સાથી મિત્રો જુહુ ચોપાટી અને ગેટવે ઑફ ઈન્ડિયા ફરવા ગયા હોય અને ત્યા કોઈએ દર્શનને મનમાં લાગી આવે તેવી જ્ઞાતિ વીશે કોઇ વાત કરી હોય પરિણામે દર્શને આત્મહત્યા કરી હોય તેવું બની શકે છે…

હવે આજ બનાવ સાથે સમય અને તારીખનો તાલમેલ કરતા જ્યારે તા 12ફેબ્રુઆરી ના રોજ દર્શન કુટુંબીજનો સાથે વિડિયો કોલ કરી વાતચીત કરે છે ત્યા અમદાવાદમાં રહેતા દર્શનના પિતા રમેશભાઈ સોલંકી 14 ફેબ્રુઆરીએ તેમના પુત્રને લેવા મુંબઈ જવાના હતા. પરંતુ પરિવારને છેલ્લો ફોન આવ્યાના લગભગ એક કલાક એટલેકે માત્ર 60મિનીટ બાદ દર્શને આત્મહત્યા કરી લીધી હતી…. કેમ..? ઍક કલાકમાં શું બન્યું હતું ..?

દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકી વ્યવસાયે પ્લમ્બર છે એટલે કે બાથરૂમ અને નળ રિપેર કરવાનું કામ કરે છે. તે જણાવે છે કે દર્શન પહેલાં નેવીમાં જવા માંગતો હતો પણ પછી ધો 11માં તેને કેમિકલ સાયન્સનો અભ્યાસ કરવાનું ઝનૂન લાગ્યું અને તેને IIT બોમ્બે જવું પડ્યું, ત્યાં ભણવાનું તેનું સપનું પણ હતું પણ કોણ જાણે કેમ દર્શનના પિતાને એમ લાગતું હતું કે દર્શનનું સપનું તેને મારી નાખશે.”

ત્રણ મહિના પહેલા દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાંની એક IIT બોમ્બેમાં આવેલા એક 18 વર્ષના છોકરા માટે, તેનું સપનું જીવવા માટે, જીવન થોડા મહિનામાં જ તેના માટે એટલું મુશ્કેલ બની ગયું કે તેને જીવન સમાપ્ત કરવું સરળ લાગ્યું. દર્શને તેના મૃત્યુ પાછળ કોઈ આત્મહત્યા નુ કારણ દર્શાવતો પત્ર છોડ્યો ન હતો, પરંતુ તેણે ગયા મહિને મકરસંક્રાંતિ પર તેની બહેનને કહ્યું હતું કે “તે જે જાતિમાંથી આવે છે તેના કારણે તેને IITમાં હેરાન કરવામાં આવે છે.”આ બાબત ખૂબ સૂચક છે. દર્શન તેની બહેનને દિલખોલીને વાત કરી શકતો હતો અને તેથીજ તેણે જણાવ્યુ હતું કે તે જાતિ માથી આવે છે તેના કારણે તેને હેરાન કરવામા આવે છે. દર્શનના જીવનના અંતિમ કલાકોમાં કોઈકે તેની જાતિ અંગે કંઈ કહ્યું હોય તેવું બની શકે છે. તેથીજ દર્શને કલાકો બાદ તેને તેડવા અમદાવાદથી આવનાર પિતાની પણ રાહ ના જોઈ અને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કરી લીધો. એમ પણ કહી શકાય કે જ્ઞાતિવાદના ભેદભાવે ઍક આશાસ્પદ વિધાર્થી તેમજ ઍક કુટુંબના દીકરાને છીનવી લીધો… સાથેજ તેની સાથે અભ્યાસ કરતા ઍક કલાસમેટે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે…. દર્શન એમ કહેતો કે તે તેના કુટુંબમાં સૌનો લાડકવાયો છે… તમામ સગા સંબંધીઓ તેને માટે ખૂબ સારી લાગણી ધરાવે છે.. પરંતું અહી એટલેકે મુબઈમાં તેને કોઇ ચાહતુ ન નથી… દર્શનના આ શબ્દો ખૂબ કહી જાય છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!