Published By : Patel Shital
- તા 4 મે ના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે…
દાદાગુરૂનું ગુજરાતમાં આગમન થઈ રહ્યુ છે. પ્રકૃતિ કેન્દ્રીત જીવન શૈલી વ્યવસ્થા અને પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન સાથે વિકાસનો ધ્યેય અને નર્મદા મિશનના ધ્યેય સાથે નીકળેલ દાદા ગુરૂ આગામી તા. 4 મેના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.
તા. 4 મે ને ગુરૂવારના રોજ સવારે 9.30 કલાકે શુક્લતીર્થ ખાતે સદગુરૂનું આગમન થશે. એ જ દિવસે બપોરે 3 વાગે દહેજ ખાતે આગમન, સાંજે 6 કલાકે રામ-જાનકી મંદિર ઝાડેશ્વર સાંજે 7 કલાકે નીલકંઠેશ્વર મંદિર, ઝાડેશ્વર, ભરૂચ જ્યારે તા. 5 મે ના રોજ સવારે 8.30 કલાકે નર્મદા-મઢી રોડ જ્યારે તે જ દિવસે સવારે 11 ક્લાક થી બીજા દિવસના 11 ક્લાક સુઘી ચંદ્રગ્રહણ હોવાથી એકાંતવાસમાં રહેશે.
જ્યારે તા. 6 મે ના શનિવારે સવારે 11 કલાકે લાડવાવડ અને એ જ દિવસે બપોરે ૩ વાગે ઝઘડીયા થી આણંદ જવા પ્રસ્થાન કરશે.