Published by : Rana Kajal
હાલમા ભાવનગરમાં મોટા ઉદ્યોગો ન હોવા છતાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાનો વિષય બની ગયો છે.ભાવનગરમાં દિવાળીની રાતની પ્રદૂષિત હવા સંવેદનશીલ દર્દી માટે રોગના ખતરા સમાન બની ગઇ છે ભાવનગર શહેરમાં હવાના પ્રદૂષણની માત્રા દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય દિવસોના પ્રમાણમાં ખૂબજ વધી છે, અને ગત દિવાળીની સરખામણીમાં પણ ચાલુ વર્ષે હવાનું પ્રદૂષણ વધ્યુ હોવાનું તારણ હવાનુ઼ પ્રદૂષણ માપનના આધારે જાણવા મળ્યું છે. ભાવનગર શહેરમાં દિવાળીના પર્વે ફટાકડા અને આતશબાજીથી ભાવનગર શહેરમાં પણ હવામાં પ્રદૂષણનું સ્તર આરોગ્ય માટે હાનિકારક સ્તરે આંબી ગયુ઼ હતુ અને દિવાળીની રાત્રે તો ભાવનગર શહેરમાં હવામાં પ્રદૂષણનું સ્તર 131 એક્યુઆઇને આંબી ગયું હતુ.જે પ્રદૂષિત હવા પ્રત્યે સંવેદનશીલ દર્દી માટે રોગના ખતરા સમાન બની રહ્યું હતુ.ભાવનગર સાથે ગુજરાત રાજયના અન્ય નગરોમાં પણ દિવાળીના દિવસો દરમિયાન ફટાકડાના પગલે પ્રદૂષણ વધ્યુ હોવાનુ જણાયું છે.