Home News Update My Gujarat દિવા તળે અંધારુ… સરકારી ખર્ચે વિમાનમાં ફ્યૂઅલ નખાવી અજય ચૌહાણે વર્ષો સુધી...

દિવા તળે અંધારુ… સરકારી ખર્ચે વિમાનમાં ફ્યૂઅલ નખાવી અજય ચૌહાણે વર્ષો સુધી કરી પરિવાર સાથે મુસાફરી…

0

Published by : Anu Shukla

  • 9 વર્ષમાં 100 વાર પરિવાર-મિત્રો સાથે ફરવા ગયા

ગુજરાતના મુખ્યમંત્રીની મંજૂરી વિના જ ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે પોતાના અંગત વપરાશ માટે છેલ્લા નવ વર્ષમાં 100 વખત સરકારના વિમાન-હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે દર્શાવી દીધો છે. જેને પગલે કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. જ્યારે આઈએએસ નીતિન સાંગવાનને ચાર્જ સોંપાવામાં આવ્યો છે. અંગત સ્વાર્થ ખાતર સરકારી વાહનનો ઉપયોગ કરતા હોવાની માહિતીને આધારે તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય જણાયું હતું.

કેપ્ટન અજય ચૌહાણ પોતાનાં પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે સી એમ, રાજ્યપાલ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હતા. તપાસમાં 26 ટ્રિપની તારીખ, જગ્યા સાથેના પુરાવા છે. જેમાં જૂના વિમાનનો 14 વખત રાજસ્થાનના પાલી વતન જવા માટે સિરોહી, વિદેશ જવા અમદાવાદથી મુંબઇ ડ્રોપ કરવા, જયપુર, આબુ રોડ, ડુંગરપુર, સિરોહી મિત્રોને મળવા, ભુજ, માંડવી ફરવા માટે હેલિકોપ્ટરનો આઠ વખત કરેલ વપરાશમાં બરોડા, કેવડિયા, ફાલનાની પર્સનલ ટ્રીપ અને ગાંધીનગરથી પૂના પોતાના પરિવારજનોને મળવા માટે ઉપયોગ કર્યો છે. નવા બોમ્બાર્ડિયર 650 ચેલેન્જરનો ચાર વખતમાં વેકેશન માણીને મુંબઇ પરત ફરતા તેના પરિવારજનોને લેવા માટે અને પર્સલન ટ્રીપ માટે દિલ્હી લઇ જવા માટે ઉપયોગ છે. જેમાં ઓપરેટિંગ કોસ્ટ, ફ્યૂઅલ સહિત 6થી 7 કરોડનો ખર્ચ કરેલા ફલાઇંગ રિપોર્ટમાં બતાવવામાં આવ્યો છે.

એરપોર્ટ પરથી મોડી રાત્રે અનેક વખત ઉડાન ભરી

કેપ્ટન અજય ચૌહાણ સહિત પરિવાર અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર છે. અમદાવાદથી મુંબઇ કે મુંબઇથી અમદાવાદ લેવા-મુકવા અનેક વખત સરકારી વિમાનનો ખાનગીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પરિવારજનોને પર્સનલ સુવિધા માટે એરપોર્ટ પરથી મોડી રાતે વિમાને અનેક વખત ઉડાન ભરી.
• 9 વર્ષમાં 8 હેલિકોપ્ટરમાં 26 ટ્રિપ
• 14 જૂના B200 વિમાન
• 04 નવા 650 ચેલેન્જર વિમાનમાં
• અમદાવાદથી જૂના વિમાનમાં 14 ટ્રિપ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version