- ACC અને અંબૂજા સિમેન્ટના 1 લાખ કરોડના શેર ગીરવે મૂક્યા
- બ્લૂમબર્ગ રિપોર્ટમાં કરાયો મોટો દાવો
વિશ્વના બીજા સૌથી ધનવાન ગૌતમ અદાણી ફરી વાર ચર્ચામાં આવ્યાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગૌતમ અદાણીએ તાજેતરમાં તેમના ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલી બે કંપનીઓ ACC લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સના 1 લાખ કરોડ રૂપિયાના શેર ગિરવે મૂકી દીધા છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ડોઇશ બેંક એજીની હોંગકોંગની શાખાએ ભારતીય સ્ટોક એક્સચેન્જોને એક નોટિફિકેશન મોકલ્યું હતું. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે, “ACC લિમિટેડનું લગભગ 57 ટકા શેરહોલ્ડિંગ, અંબુજા સિમેન્ટ્સનો લગભગ 63 ટકા હિસ્સો, જે બે કંપનીઓનો હિસ્સો ધરાવે છે, તે ચોક્કસ ધિરાણકર્તાઓ અને અન્ય નાણાકીય પક્ષો સુધી મર્યાદિત છે.
અદાણી ગ્રુપની તમામ કંપનીઓ સતત નવા સેક્ટરમાં એન્ટ્રી કરી રહી છે તે સમયે ગૌતમ અદાણીએ શેર ગીરવે મૂક્યા છે. તાજેતરમાં તેના ક્ષેત્રમાં સિમેન્ટ, ગ્રીન એનર્જીથી માંડીને મીડિયા સેક્ટરનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન અદાણી ગ્રુપે પોતાની કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં ગિરવે મુકાયેલા હિસ્સામાં થોડો ઘટાડો કરવા માટે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.