Published By:-Bhavika Sasiya
માનવી જન્મે ઍટલે તેનુ મૃત્યુ નકકી હોય છે મૃત્યુ બાદ મુસ્લિમ ધર્મના લોકોને દફન કરવામાં આવે છે અને મરનારા લોકોની એ જ ઈચ્છા હોય છે કે તે અલ્લાહના ઘર સુધી પહોંચે. આ જ ઈચ્છાને પુરી કરવા માટે ઈરાકના લોકો પોતાના સગા સંબંધીઓને એક કબ્રસ્તાનમાં દફન કરે છે, જે સમયની સાથે એટલું મોટું થઈ ચુક્યું છે કે તેને દુનિયાના સૌથી મોટું કબ્રસ્તાન માનવામાં આવે છે. જોકે એક સમય હતો, જ્યારે અહીં 80 થી 120 લોકોની દફનવિધિ અહીં કરવામાં આવી હતી.

પણ જ્યારથી ઈસ્લામિક સ્ટેટનો અહીં કબ્જો થયો, ત્યાંથી કબ્રસ્તાન વધતા જાય છે. હવે દરરોજ 150 થી 200 લોકોને અહીં દફન કરી રહ્યા છે. અહીં લાખો લોકો દફન છે આ કબ્રસ્તાનની એકદમ નજીક ઈમામ અલી બિન અબી તાલિબનો મકબરો છે. તે પયગંબર મુહમ્મદના જમાઈ હતા. તેના કારણે લોકો પોતાની કબ્રને તેમના મકબરા નજીક બનાવવા માગે છે. રોયટર્સના 2021ના રિપોર્ટ અનુસાર, જેમ જેમ જમીન દુર્લભ થતી જાય છે. માનક 25 વર્ગ મીટરના પારિવારિક દફન સ્થળનો ખર્ચ લગભગ 5 મિલિયન ઈરાકી દીનાર (3.3 લાખ રૂપિયા) સુધી વધી ગઈ છે.