Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalદુનિયાનુ પ્રથમ કૃત્રિમ ગર્ભ તૈયાર, પેરેન્ટ્સ બાળકો જાતે ડિઝાઈન કરીને પેદા કરી...

દુનિયાનુ પ્રથમ કૃત્રિમ ગર્ભ તૈયાર, પેરેન્ટ્સ બાળકો જાતે ડિઝાઈન કરીને પેદા કરી શકશે

  • વિશ્વની પહેલી ‘આર્ટિફિશ્યલ વૉમ્બ ફેસિલિટી’તૈયાર
  • એક વર્ષમાં ૩૦,૦૦૦ બાળકો લઈ શકશે જન્મ

તમે તમારા બાળકનો રંગ તેનું કદ તેની ઊંચાઈ તેની તાકાત બધું જ જાતે પસંદ કરી શકો છો, તો તમે આ વાત માનશો?? વેલ, ૧૯૭૮માં જયારે પહેલા આઇવીએફ બેબી લુઈ બ્રાઉને જન્મ લીધેલો ત્યારે તેને સાયન્સની ઉત્તમ અને આખરી ખોજ માનવામાં આવેલી. ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે IVFમાં પિતા (પુરુષના) શુક્રાણુ અને માતાના (સ્ત્રીના) ઇંડાને તેમના શરીરમાંથી લઈને પેટ્રી ડીશમાં ફળદ્રુપ કરવામાં આવે છે. પછી ગર્ભાશયને સ્ત્રીના ગર્ભાશયમાં અથવા સરોગેટ મધરમાં રોપવામાં આવે છે અને બાળકનો ઉછેર માતાના ઉદરમાં થાય છે.
હવે એવી ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી છે જે વિશ્વની સૌપ્રથમ ‘કૃત્રિમ ગર્ભાશયની ફેક્ટરી’ તરીકે ઓળખવામાં આવશે. કલ્પના કરો એવા વિજ્ઞાનની કે જ્યાં માતાના ઉદરની જરૂર વિના જ બાળકને જન્મ આપી શકાય. એક એવું આર્ટિફિશયલ womb (ઉદર) કે જે માતા-પિતાને મેનુમાંથી બાળકની લાક્ષણિકતાઓ (જેમ કે આંખનો રંગ, ઊંચાઈ અને તાકાત) પસંદ કરવાની તક આપે છે.

વિશ્વની પ્રથમ કૃત્રિમ ગર્ભાશયની સુવિધા:

જીન એડિટિંગ CRISPR Cas-9 ટેક્નોલોજીના આધારે કૃત્રિમ ગર્ભાશયની રચના કરવામાં આવશે, જેમાં બાળકનો ઉછેર માતાના શરીરની બહાર એક લેબમાં થશે. ECTOLIFE નામની ગર્ભાશયની ફેક્ટરીમાં આ દેખીતી રીતે વિચિત્ર અને ઉન્મત્ત યોજના પાછળના બાયોટેકનોલોજીસ્ટ – હાશેમ અલ-ગૈલી (બર્લિન સ્થિત બાયોટેકનોલોજીસ્ટ અને સાયન્સ કોમ્યુનિકેટર) – કહે છે આ ટેક્નોલીજીથી જન્મેલા સંતાનો યુગલોને બાળકની કલ્પના કરવાની અને તેમને સાચાઅર્થમાં બાયોલોજિકલ માતાપિતા બનવાની ખુશી આપશે.EctoLifeના સ્થાપક ઘાઈલી કહે છે કે તેમની આ યોજના પચાસ વર્ષથી વધુ ગ્રાઉન્ડ બ્રેકિંગ વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. “EctoLife કૃત્રિમ ગર્ભાશયને જે લોકો કુદરતી રીતે પેરેન્ટ્સ નથી બની શકતા તેમને મદદરૂપ થવા અને C-sectionsની શક્યતા ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. EctoLife સાથે, પ્રિ-મેચ્યોર ચાઈલ્ડ બર્થ અને સી-સેક્શન ભૂતકાળ બની જશે.”

કૃત્રિમ ગર્ભાશય વિશે:

EctoLife તમારા બાળકને ચેપ મુક્ત વાતાવરણમાં ઉછેરે છે અને તેનો સર્વાંગી વિકાસ કરે છે. ઘાઈલી કહે છે કે દરેક પોડ માતાના ગર્ભાશયની અંદર જે અનુભવ બાળક કરે છે તે જ ચોક્કસ પરિસ્થિતિઓનો બાળકને અનુભવ કરાવે છે. દર વર્ષે આ લેબ 30,000 બાળકોને જન્મ આપી શકે છે.એક સ્માર્ટ ડિજીટલ સ્ક્રીન માતા-પિતાને બાળકની વિકાસલક્ષી પ્રગતિ પર રીઅલ-ટાઇમ ડેટા પણ બતાવશે. આ ડેટા ફોન એપ દ્વારા પણ જોઈ શકાય છે. પોડ પરના સેન્સર બાળકના મહત્વપૂર્ણ સંકેતોનું નિરીક્ષણ કરી શકે છે અને હૃદયના ધબકારા, તાપમાન, બ્લડ પ્રેશર, શ્વાસનો દર અને ઓક્સિજન સંતૃપ્તિ સહિતની માહિતી સ્ક્રીન પર આપશે. આ સાથે બાળક પોડ્સના આંતરિક સ્પીકર્સ દ્વારા તેના પેરેન્ટ્સનો અવાજ પણ સાંભળી શકશે અને જો માતા-પિતા ઈચ્છે તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેટઅપ દ્વારા સંભવિત આનુવંશિક તકલીફોને પણ શોધી શકશે. આ ફેક્ટરીરિન્યુએબલ એનર્જી પર ચાલશે.પોડ્સના દરેક જૂથ બે કેન્દ્રીય બાયોરિએક્ટર સાથે જોડાયેલા છે. જેમાંનું એક બાયોરિએક્ટર માતાના ગર્ભાશયમાં રહેલા પ્રવાહી ઍમનિઑટિક પ્રવાહી બાળકોને પૂરું પાડશે તો બીજું બાયોરિએક્ટર બાળકો દ્વારા ઉત્પન્ન થયેલ કચરાને દૂર કરવા માટે રચાયેલ છે, જે કૃત્રિમ નાળ દ્વારા સ્થાનાંતરિત થશે.

બાળકનો જન્મ કેવી રીતે થાય છે?

જ્યારે બાળક સર્વાંગી વિકાસ પૂરો કરીને તેના સમય અવધિ સુધી પહોંચે છે અને તે પછી જ્યારે પણ માતાપિતા ઇચ્છે છે, ત્યારે જન્મ પ્રક્રિયા બટન દબાવીને કરવામાં આવે છે. કૃત્રિમ ગર્ભાશયમાંથી એમ્નિઅટિક પ્રવાહીને ડિસ્ચાર્જ કર્યા પછી, બાળકને પોડમાંથી સરળતાથી બહાર કાઢી શકાય છે.

આ સુવિધા ક્યારે કાર્યરત થશે?

આના જવાબમાં ઘાઈલીએ જણાવ્યું હતું કે, “સમય મર્યાદાના સંદર્ભમાં, તે ખરેખર નૈતિક માર્ગદર્શિકા પર આધાર રાખે છે. અત્યારે, માનવ ભ્રૂણ (એમ્બ્ર્યોસ) પર સંશોધનને 14 દિવસથી વધુની મંજૂરી નથી, 14 દિવસ પછી, નૈતિક મૂલ્યોને કારણે ભ્રૂણનો નાશ કરી દેવો અનિવાર્ય છે. જો આ નૈતિક પ્રતિબંધો હળવા કરવામાં આવે, તો EctoLifeનો બધે વ્યાપકપણે ઉપયોગ થાય તેને 10 થી 15 વર્ષનો સમય લાગે તેમ છે. લોકો સુધી આ ટેક્નોલોજી પહોંચાડવામાં અને તે માટે લોકોને માનસિક તૈયાર થવામાં માટે પાંચ વર્ષ લાગે તેમ છે. લોકો સુધી આ ટેક્નોલોજી વિશે જાગૃતિ આવે તે હેતુથી ટેક્નોલોજી પહેલેથી જ ઉપલબ્ધ કરાવાયેલ છે, પરંતુ માત્ર નૈતિક મર્યાદાઓ ખ્યાલમાં રાખીને તેને વાસ્તવિકતાથી પાછળ રાખવામાં આવી રહી છે.
આ કૃત્રિમ ગર્ભાશયના વિચારનું મુખ્ય કારણ જણાવતા બાયોટેકનોલોજીસ્ટ હાશેમ અલ- ઘાઈલી કહે છે કે તે આ કૃત્રિમ ગર્ભાશય જે સ્ત્રીઓને કેન્સર અથવા અન્ય શારીરિક તકલીફોના કારણે ગર્ભાશયને કાઢી નાખવામાં આવ્યું હોય તેવી સ્ત્રીઓ માટે આ ટેક્નોલોજી આશીર્વાદ સમાન રહેશે, અને આ ઉપરાંત પણ એવા દેશો કે જ્યાં વસ્તી ઓછી છે તેવા દેશોમાં પણ આ કૃત્રિમ ગર્ભાશય મદદરૂપ થશે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!