Published By : Disha PJB
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી રહી છે.ન બોલવા જોઈએ તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. શેરીઓના ગુંડ્ડાઓ જે પ્રકારે શબ્દોનો પ્રયોગ કરે છે એ શબ્દોનો કોંગ્રેસના નેતાઓ પ્રયોગ કરી રહ્યા છે. સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષાઓ કાં તો ટિપ્પણીઓ કરતા બાઝ આવતા નથી.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે, કુલ મળી 91 વખત આ રીતે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેની યાદી અમારી પાસે છે. પરંતુ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જેઓ સિનિયર હોવા છતાં જે રીતે વડાપ્રધાન ઉપર ટિપ્પણીઓ કરી છે. પરંતુ કોંગ્રેસની પરંપરાઓ રહી છે કે, સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષાઓ કાં તો ટિપ્પણીઓ કરતા બાઝ આવતા નથી. સત્તા જાય એટલે એ લોકો પોતાનો આપા ખોઈ બેસે છે.
આજે મલ્લિકા અર્જુનએ કહ્યું કે, મોદી ઝેરી સાપ છે. તેને ડસવાથી મૃત્યુ મળે છે. વધુમાં જણાવ્યું કે, કટોકટી સુધી લઈ જાનાર લોકોને અભદ્ર ટિપ્પણીઓ ખુંબ જ નાની વાત લાગી રહી છે. આજે આખા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તમામ અપેક્ષાઓ સાથે જ્યારે વડાપ્રધાન તરફ જોઈ છે ત્યારે એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એક સક્ષમ વ્યક્તિ મળ્યા છે. જેથી આ દેશની જનતા ખુશ છે. ત્યારે ઝેરી સાપ જેવા શબ્દોનો પ્રયોગ કરીને મલ્લિકા અર્જુનએ સ્તર બતાવી દીધો છે.
વધુમાં જણાવ્યું કે, આ પેહલા રણદીપ સુરજેવાલા કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, મોદી તમારી કબર ખોદવામાં આવશે.અને આવા નારાઓ પણ લાગવામાં આવ્યા હતા. વી.એસ.ઉતરપ્પાએ મોદીને ભસમાંસુર કહ્યા હતા. રાહુલ ગાંધીએ ભારતનો ચોકીદાર ચોર છે. આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અલકા લાંબાએ નાલાયક જેવા શબ્દો કહ્યા હતા. આ પેહલા મલ્લિકા અર્જુને મોદીની હિટલર સાથે ગણતરી કરી હતી. ત્યારે સોનિયા ગાંધીએ પણ પોતાનો સ્તર બતાવીને મોદીને મોતનો સોદાગર કહ્યો હતો. ગુજરાત કોંગ્રેસના આગેવાન મદુસુદન મિસ્ત્રીએ મોદીને તેમની ઓકાત બતાવામાં આવશે તેવી ધમકીઓ આપી હતી. શેખ હુસેને મોદીને કૂતરાની જેમ મારી નાખવાની ધમકી આપી હતી. આવા અનેક લોકો છે જેના કુલ 91 લિસ્ટ અમારી પાસે છે.
બાદમાં જણાવ્યું કે, આ પ્રકારનો શબ્દનો પ્રયોગ કરીને કોંગ્રેસ લોકોના નજરમાં નીચે ઉતરી ગઈ છે. કર્ણાટકમાં થનારી ચૂંટણીમાં કોંગ્રેસની હાર જોવા મળી રહી છે. અને એટલા માટે જ્યારે કોંગ્રેસ હારી રહી હોય ત્યારે આ રીતે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આ કોંગ્રેસના સંસ્કારો છે. પરંતુ આખા દેશના તમામ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિશ્વાસ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના લાંબી ઉંમર માટે તેઓ પ્રાર્થના કરતા હોય છે. મોદી સાહેબ છે તો મુમકીન છે. તમામ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની તાકાત મોદી સાહેબ રાખે છે. દેશ વિદેશમાં જેમનું નામ છે એમના વિષે લોકો સારી વાત કરે છે. એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોનો પ્રયોગ કોંગ્રેસ વારંવાર કરે છે, એ યોગ્ય નથી. કર્ણાટકમાં આવનારી ઇલેક્શનમાં લોકો કોગ્રેસ પાસે જવાબ માંગશે.