Published By : Parul Patel
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વધેલ સંખ્યાની જાહેરાત કરી…
- આ પ્રસંગે એક સિક્કો પણ જાહેર કર્યો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘનો નવો આંકડો જાહેર કર્યો છે. આ નવા આંકડા મુજબ વર્ષ 2022માં દેશમાં વાઘની સંખ્યા વધીને 3167 થઈ ગઈ છે. અગાઉ આ આંકડો 2967 હતો. આમ, દેશમાં વાઘની સંખ્યામાં 200નો વધારો થયો છે. પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ (IBCA)ની શરૂઆત કરી. વડાપ્રધાને આ પ્રસંગે એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. જે નોધપાત્ર બાબત છે એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.




