Published By:-Bhavika Sasiya
- ઉદ્ધવ ઠાકરેનો BJPને પડકાર…. હિંમત હોય તો રક્ષાબંધન પર બિલકિસ બાનો…
દેશમાં હવે રક્ષાબંધન અંગેનું રાજકારણ ગરમાયુ છે વસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઇમાં પાર્ટી કાર્યકર્તાઓ અને સંભાજી બ્રિગેડના કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું તમને બતાવવા માગું છું કે, NDAની બેઠકમાં શું થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના સાંસદોને જણાવ્યુ હતુ કે આ વખતે મુસ્લિમ મહિલાઓ સાથે રક્ષાબંધનનું આયોજન કરો, મુસ્લિમ મહિલાઓને રાખડી બાંધવા દો પરંતુ મણિપુરની બહેનો બાબતે પણ વિચારો અને તેમની પાસે પણ રાખડી બંધાવો.એમ ઉદ્ધવ ઠાકરે કટાક્ષ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરે વધુમાં જણાવ્યું કે બિલકિસ બાનો પાસે પણ રાખડી એન ડી એ ના સાંસદો એ રાખડી બંધાવવી જોઈએ બિલકિસ બાનો જ્યારે ગર્ભવતી હતી, તો તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરી દેવામાં આવી. કેસના બધા દોષીઓને ગુજરાત સરકારે મુક્ત કરી દીધા છે. હિંમત હોય તો બિલકિસ બાનો પાસે જઈને રાખડી બંધાવો. જો તમારામાં હિંમત હોય તો મણિપુરમાં એ મહિલાઓ પાસે રાખડી બંધાવો, જેમને સાર્વજનિક રૂપે નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી.