Published By : Patel shital
- આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારનું 3000 નવા મંદિરો આકાર કરવાનું આયોજન
આંધ્ર પ્રદેશ સરકારનું કહેવું છે કે તે રાજ્યના દરેક ગામમાં મંદિર બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. અગાઉ રાજ્યમાં 1,330 મંદિરો બનવાના હતા. નાયબ મુખ્યમંત્રી કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે હવે તેમાં 1,465 વધુ મંદિરો ઉમેરવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે સરકારે મોટા પાયે હિંદુ ધર્મનો ફેલાવો કરવાના ઉદ્દેશ્ય સાથે ગરીબ વિસ્તારોમાં મંદિરો બનાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાજ્યમાં 1,330 મંદિરો બનવાના હતા. હવે તેમાં 1,465 મંદિરોનો ઉમેરો થયો છે. એટલું જ નહીં, ધારાસભ્યોની વિનંતી પર 200 વધુ મંદિરો પણ ઉમેરવામાં આવનાર છે. સત્યનારાયણે એમ પણ કહ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનનું શ્રી વાણી ટ્રસ્ટ આ હિન્દુ મંદિરોના નિર્માણ માટે દરેક મંદિરને રૂ. 10 લાખ રૂપિયા આપશે. બાંધકામ વિભાગ દ્વારા 978 મંદિરોના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સાથે જ 25 મંદિરોના નિર્માણનું કામ આસિસ્ટન્ટ એન્જિનિયરને સોંપવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક અન્ય સહાયક ઇજનેરોની પણ નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક મંદિરો NGO દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.

કેટલાક મંદિરોના પુન:ર્નિર્માણ અને મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે ફાળવવામાં આવેલા 270 કરોડમાંથી 238 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. તેવી જ રીતે ધાર્મિક વિધિઓ ધૂપ, દીપ અને નૈવેદ્યમ માટે ફાળવવામાં આવેલા રૂ. 28 કરોડમાંથી આ નાણાંકીય વર્ષમાં રૂ. 5,000 પ્રતિ મંદિરના દરે મંદિરોને રૂ. 15 કરોડ આપવામાં આવ્યા છે. 2019 સુધીમાં ધૂપ, દીપ, નૈવેદ્યમ યોજના હેઠળ માત્ર 1,561 મંદિરો નોંધાયા હતા. હવે આ સંખ્યા 5 હજાર સુધી પહોંચી ગઈ છે. આંધ્ર પ્રદેશમાં કુલ 26 જિલ્લાઓ છે. રાજ્ય સરકાર તમામ જિલ્લાના દરેક ગામમાં મંદિર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા 10 લાખ રૂપિયામાંથી 8 લાખ રૂપિયા મંદિરના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. તે જ સમયે બાકીની બે લાખની રકમ મૂર્તિ બનાવવા અથવા ખરીદવા માટે વાપરવામાં આવશે એમ જણાવાયું છે…