Home Bharuch ધર્માંતરણ અંગે લોકોએ મત દ્વારા જાકારો આપ્યો…. કોંગ્રેસને માત્ર 36 મત મળ્યા...

ધર્માંતરણ અંગે લોકોએ મત દ્વારા જાકારો આપ્યો…. કોંગ્રેસને માત્ર 36 મત મળ્યા …

0
  • સમગ્ર ગુજરાતમાં ધર્માંતરણથી ચર્ચામાં રહેલાં કાંકરીયામાં કોંગ્રેસનો રકાસ થયો….

ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠકમાં આવતાં કાંકરિયા ગામમાંથી ભાજપને 342 અને કોંગ્રેસને 36 મત મળ્યા હતા. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના પરિણામો જાહેર થઇ ગયા છે અને પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ત્યારે ખાસ કરીને ભાજપે જંબુસર બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લઇ સૌને ચોંકાવી દીધા છે. જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આવતુ કાકરીયા ગામ ચૂંટણી પહેલા ખૂબ ચર્ચામાં રહયું હતું. કાંકરીયામાં હીંદુ સમાજના લોકોનુ ધર્માતરણ કરી દેવાયુ હોવાનો મામલો રાજ્ય ભર માં ચગ્યો હતો કાંકરીયા ગામમાં વિધાન સભાની ચુંટણી યોજાતા ભાજપને 342 અને કોંગ્રેસને માત્ર 36 મત મળ્યા છે.નાનકડા કાંકરીયા ગામના આદિવાસી પરિવારોને લોભ અને લાલચ આપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી દેવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં વિદેશમાં બેઠેલા એક મૌલવીની પણ સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રાજયમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યાં હતાં. કાંકરીયા ધર્માંતરણ કેસની અસર વિધાનસભાની ચૂંટણીમાં પડવાના આસાર દેખાય રહયા હતાં. ચૂંટણી પહેલાં આમોદ નજીક જ આવેલાં વાગરામાં દેશના ગૃહમંત્રી અમિત શાહે કોમી રમખાણો, રામ મંદિર સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ પોતાના પ્રવચન માં કર્યોં હતો જે નોધપાત્ર બાબત છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version