Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratધારી-અમરેલી હાઈવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત...

ધારી-અમરેલી હાઈવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત…

Published By : Aarti Machhi

  • એમ્બ્યુલન્સ ચાલક સહિત ૩ના મોત ૨ની હાલત અતિ ગંભીર
  • ધારી પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યું

ધારીથી અમરેલી તરફ દર્દીઓને લઇને જતી એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. 2ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

ધારીથી અમરેલી તરફ દર્દીઓને લઇને જતી ગાયત્રી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ અને મુંબઈથી ધારી તરફ આવી રહેલ અનુકુલ ટ્રાવેલ્સની બસ વચ્ચે આજરોજ સવારે ધારીથી ત્રણ કીલોમીટર દુર ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમા એમ્બ્યુલન્સના ડ્રાઈવર મહેશભાઈ પ્રજાપતિ અને ખીચા ગામના દર્દી એવા નિવૃત્ત આર્મીમેન વિશાલભાઈ ધીરજલાલ જોશીનુ ધટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. જયારે આ અકસ્માતમાં ગંભીર રીતે ધાયલ થયેલા ત્રણ ઈજાગ્રસ્તોને અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી જીતુભાઇ રાજયગુરૂ નામના વધુ એક ઈજાગ્રસ્તનુ અમરેલી ખાતે મોત નિપજતા મોતનો કુલ આંકડો ત્રણનો પહોંચ્યો છે.

બે ઈજાગ્રસ્તોની સારવાર અમરેલી ખાતે થઇ રહી છે. અકસ્માતની ઘટનાની જાણ થતા ધારી શહેરની સામાજિક સેવાકીય સંસ્થા એવી ગાયત્રી ફાઉન્ડેશનના આગેવાન હીતેશભાઈ જોશી, ભરતભાઈ શેઠ અને મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવરખાન દુર્રાની અને પરવેજભાઈ સુમરા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોતને ભેટેલ નવયુવાનોના પરીવારજનોને સાંત્વના પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!