Home News Update My Gujarat ધોરાજીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, ખેતરમાં સમાધિનો કાર્યક્રમ કર્યો અને જણસીના પુરતા ભાવ...

ધોરાજીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, ખેતરમાં સમાધિનો કાર્યક્રમ કર્યો અને જણસીના પુરતા ભાવ અથવા ઇચ્છા મૃત્યુની માગ કરી…

0

Published by : Vanshika Gor

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ જણસીના પોષણક્ષણ ભાવ ન મળતા અનોખી રીતો વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ પોતાના ખેતરમાં સમાધિ લીધી હોય એ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ એવી માગ કરી છેકે સરકાર જણસીના પૂરા ભાવ આપે નહીંતર ખેડૂતોને ઇચ્છા મૃત્યુ આપે.

હાલ ગુજરાત રાજ્યમા ખેડૂતોની દયનીય હાલત થઈ ગઇ છે. કોઈ પણ પ્રકારના જણસીના ભાવો મળી રહ્યાં નથી. જેમા ઘઉં કપાસ સોયાબીન મગફળી તથા અન્ય જણસીના ભાવો ન મળતા ખેડૂતો ચિંતિત પણ થયા છે. ખેડૂતોમાં રોષ પણ જોવા મળેલ માર્કેટીંગ યાર્ડમા ખેડૂતોને જણસીના પુરતા ભાવ મળતા નથી. ખેડૂતોએ પોતાના ખેતર ઘઉં કપાસ સોયાબીન જેવા પાકોનું વાવેતર કરેલ પણ હાલ પોષણક્ષમ ભાવો મળતા નથી.

ધોરાજી પંથકના ખેડૂતો પોતાના ખેતરમા સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આજરોજ ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતર ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કર્યો હતો. એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે, પણ ખેડૂતોની કોઈ પણ જણસીના પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી પોષણક્ષમ ભાવ નહી મળતા ગુજરાત રાજ્ય સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે.

ખેતરમા સમાધિનો કાર્યક્રમ કર્યો હતો અને કાગળ પર એવું લખાણ લખ્યું હતું કે સરકાર કાંતો જણસીના ભાવ પુરા આપે નહીં તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે. આ પ્રકારની માગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે સરકાર સુધી ખેડૂતોની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version