Home Bharuch નર્મદા જિલ્લાના ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે આજથી મેળાનો પ્રારંભ…

નર્મદા જિલ્લાના ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે આજથી મેળાનો પ્રારંભ…

0

Published by : Rana Kajal

પ્રાચીન એવા ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ગામે આજથી શુલપાણેશ્વર મહાદેવના મંદિર ખાતે પૌરાણિક મેળાનો થશે પ્રારંભ… આ મેળાનું આયોજન સુચારુ રીતે થાય તે માટે નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામા બહાર પાડ્યા છે. મેળાના દિવસો દરમિયાન એટલે કે તા 18 થી 20 એપ્રિલ સુઘી ગોરા ટી જંક્શનથી શુલપાણેશ્વર મંદિર અને વસંતપુરા ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ મેળામા ગુજરાત, મહારાષ્ટ્ર, અને અન્ય રાજ્યોમાથી ખુબ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે. મેળામાં પાથરણાંવાળા તેમજ અન્ય નાના મોટા વેપારીઓ પણ ધંધા અર્થે આવતાં હોય વેપારીઓ માટે પણ ખાસ નિયંત્રણો મુકવામાં આવ્યા છે સાથે જ ખુબ મોટી સંખ્યામાં ખાનગી વાહનો અને લક્ઝરી બસો પણ આવે તેવી શક્યતા હોવાથી પાર્કિંગ અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version