Published by : Vanshika Gor
- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સેન્ટ્રલ અને સ્ટેટ વોટર કમિશને નર્મદા ડેમની મુલાકાત લીધી
- સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે વધુ પર્યટન સુવિધા ઉભી કરી પર્યટકોને ડેમના પ્રતિબંધિત કેટલાક વિસ્તારોમાં ફરવાની અને તસ્વીરની પણ છૂટ અપાશે
- ગુજરાતના 17 સહિત દેશના 143 મોટા ડેમ ટુરિઝમ પોઇન્ટ તરીકે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે
નર્મદા ડેમને વર્ષ 2005 થી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અત્યાર સુધી 50 લાખથી વધુ પ્રવાસીઓ ડેમની મુલાકાત ચુક્યા છે ત્યારે દેશના મહાકાય બંધોને ટુરિઝમ તરીકે વિકસાવવા ડેમ સુરક્ષામાં કેટલીક છૂટ છાટ પ્રવાસીઓ માટે જાહેર કરાઈ છે.હવે ભારતના ડેમોને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીએ સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારની મુલાકાત લીધી હતી. અગાઉ જે પ્રવાસીઓને ડેમ સુરક્ષાને ધ્યાને લઈ ફોટો પણ પાડવા નહિ દેવા નો કાયદો હતો. હવે પ્રવાસીઓ જ્યાં ફોટા પણ પાડી શકશે અને અનેક પ્રોજેક્ટો ડેમો પર બનાવમાં આવશે જ્યાં હરિફરી પણ શકશે.
દેશમાં અલગ અલગ રાજ્યોમાં અનેક ડેમો બનાવવામાં આવ્યા છે . જેનો મુખ્ય હેતુ લોકોને પીવાની અને સીચાઇનું પાણીની જરૂરિયાત પૂરી પડે અને વીજ ઉત્પાદન થાય તે માટે બનાવવામાં આવ્યા છે. ત્યારે ડેમો પર જવા પર પ્રતિબંધ હતો લોકો જઈ શકતા ન હતા તેની ફોટોગ્રાફી સામે પણ ગુનો નોંધવામાં આવતો હતો. જોકે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને વર્ષ 2005 ની જેમ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો પ્રવાસન વિકાસ કર્યો તેમ હવે ભારતના તમામ ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના ડેમોને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવા નર્મદા ડેમ ખાતે આજે શનિવારે બેઠક મળી હતી. જેમાં સેન્ટ્રલ વોટર કમિશન, સ્ટેટ વોટર કમિશનના અધિકારીઓ જ્યોતિ વિક્રમ, કે.એ.પટેલ, નર્મદા ડેમના અધિક્ષક ઇજનેર આર.જી. કાનૂગો સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં 143 મહત્વના ડેમનું CWC દેખરેખ રાખે છે. જેમાં ગુજરાતના 17 ડેમોનો સમાવેશ થાય છે. નર્મદા ડેમ ખાતે પ્રવાસીઓને વધુ છૂટછાટ અને સગવડો આપ્યા બાદ ધરોઈ ડેમને પણ પ્રવાસન સ્થળ તરીકે ડેવલોપ કરાશે.