- ગોલ્ડનબ્રિજની સપાટી 16 ફૂટ સ્પર્શી નીચે ઉતરી
પ્રવર્તમાન ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા આજે છેલ્લા 44 દિવસથી ખુલ્લા છે.
ઉપરવાસમાંથી ફરી એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા નર્મદા ડેમના વધુ દરવાજા ખોલી પાણી છોડાયું હતું.જેના પગલે ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 16 ફૂટ સુધી વધી મંગળવારે બપોરે ઘટીને 14 ફૂટે પોહચી હતી.ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી જતા હાલ ડેમનો એક જ ગેટ ખુલ્લો છે જેમાંથી 5 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 138.57 મીટર નોંધાઇ છે.