Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentનર્મદા મૈયા બ્રિજ પર 3 કલાકમાં 4 અકસ્માત 9 વાહનોને નુકશાન...

નર્મદા મૈયા બ્રિજ પર 3 કલાકમાં 4 અકસ્માત 9 વાહનોને નુકશાન…

Published By : Parul Patel

  • એક વોલ્વો, 3 એસ.ટી. બસ અને 5 કારને ગોબા સાથે વીજ થાંભલો પણ તૂટ્યો…
  • સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિ નહિ…
  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર 10 દિવસમાં વધુ 4 સરકારી બસને અકસ્માત નડ્યો

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર 3 કલાકમાં સર્જાયેલા 4 અકસ્માતોમાં એક વોલ્વો, 3 સરકારી બસ અને 5 કારને નુકશાન થવા સાથે ટ્રાફિકજામ સર્જાયો હતો.

નર્મદા મૈયા બ્રિજ ઉપર મંગળવારે જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય, તેમ એક બાદ એક ગણતરીના 3 કલાકમાં જ ચાર અકસ્માતો થયા હતા.

સવારે 7 કલાકના અરસામાં પ્રથમ બે એસ.ટી. બસો એકની પાછળ એક ભટકાઈ હતી. જે બાદ 9 કલાકે તુફાન આગળ ચાલતી કારમાં અથડાતા તેની પાછળ આવતી અન્ય 2 કાર પણ અંદર ઘુસી ગઈ હતી.જેના અડધો કલાકમાં 9.30 કલાકે ફરી સરકારી એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જ્યારે 10 કલાકે એસ.ટી. ની જ વોલ્વો બસ બ્રિજ ઉપર લગાવેલા વીજ થાંભલામાં ધડાકાભેર અથડાઈ હતી.

ચારેય અકસ્માતમાં કોઈપણ મુસાફરો કે વ્યક્તિને ઇજા પોહચી ન હતી. જોકે 9 વાહનોને નુકશાન પોહચ્યું હતું. ત્રણ કલાકમાં જ 4 અકસ્માતને લીધે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. બ્રિજ ઉપર 10 દિવસ પેહલા જ એસ.ટી. બસ ને અકસ્માત નડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!