Published By:-Bhavika Sasiya
ભરૂચની એમ. કે. કોમર્સ કોલેજનો સમાવેશ કરતી વીર નર્મદ યુનવર્સિટીનું બી. કોમ. પ્રથમ સેમેસ્ટરની પુનઃપરીક્ષાનુ નું પરિણામ નિરાશા જનક આવ્યું છે..
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા રેગ્યુલર પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ વિદ્યાર્થીઓના હિતમાં પુનઃ પરીક્ષાનુ આયોજન કરવામાં આવે છે.
હાલમાંજ યુનિવર્સિટીના બી . કોમ.ના પ્રથમ સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 13,215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 9842 વિદ્યાર્થીઓ નાપાસ થતાં માત્ર 23 ટકા પરિણામ આવ્યું હતું. 9842 વિદ્યાર્થીઓએ ફરી એટિકેટી આવતા તે મુજબની પરીક્ષા આપવી પડશે. અંતે નોંધવું રહ્યું કે ભરૂચ સહીતની વીર નર્મદ યુનિવર્સિટી ના વિવિઘ કોલેજોમાં પુનઃ પરીક્ષાનુ સંતોષ કારક પરિણામ આવતુ નથી તેનુ કારણ એ પણ જણાયું છે કે મુખ્ય પરીક્ષાના પરિણામ બાદ ખુબ ઓછા દિવસો બાદ પુનઃ પરીક્ષા લેવામા આવતી હોવાથી પરિણામ નીચું આવે છે