Published by : Rana Kajal
- ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયો ભ્રષ્ટાચાર…
ભાજપના સ્પષ્ટ બોલતા શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે આક્ષેપ કર્યાં છે કે “નલ સે જલ”યોજનામાં અઘિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હતી. વધુમાં જેઠા ભરવાડે જણાવ્યું કે તેમના મત વિસ્તાર શહેરા અને તાલુકામાં વાસ્મો એજન્સી દ્વારા નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ બાબતે ધારાસભ્યએ છેલ્લા એક વર્ષ દરમિયાન જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ તત્રને લખેલા પત્ર પણ સોશીયલ મિડીયામાં ચઢાવ્યા છે. તેમજ તપાસની માંગણી કરી છે. ધારાસભ્ય જેઠા ભરવાડે નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર અંગે લખેલ પત્રોમાં શહેરા તાલુકાના ડુંમેલાવ, સાદરા, ઉંમરપુર, બોરીયાવી, સરાડીયા, બોરિયા, મંગલીયાણા, બોડિદ્રા, ખુદ્ર, વાડી તેમજ અન્ય ગામો તેમજ ગોધરા તાલુકાનાં ગામોમાં નલ સે જલ યોજના અધૂરી મુકી દેવામાં આવી હોવાનો તેમજ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે .