Home Bharuch નવનિયુકત જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

નવનિયુકત જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

0

Published By : Aarti Machhi

ભરુચ શહેર બી ડિવિઝન ખાતે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો

ભરુચ જિલ્લા એસ.પી કચેરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન હેઠળ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરુચ શહેર બી ડિવિઝનની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકોએ ટ્રાફિક અને નશીલા પ્રદાર્થના દૂષણ સહિત અન્ય સમસ્યાનો લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી આ તમામ રજૂઆતને સાંભળી એસ.પી.મયુર ચાવડાએ ગંભીરતા પૂર્વક નોંધ લઈ લોકોની સમસ્યાઓને વહેલી તકે હલ કરવા અને ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવવા ખાતરી આપી હતી આ લોક દરબારમાં ડી.વાય.એસ.પી અને પી.આઈ.,પી.એસ.આઈ તેમજ સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

લોક દરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષકે નાગરિકો ની સમસ્યાઓ અને ફરિયાદ ને સાંભળી હતી અને બનતી ત્વરાએ તેનું નિરાકરણ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version