રાજયમાં ચોમાસાની ઋતુ અંતિમ ચરણમાં છે. ત્યારે જતા-જતા પણ મેઘરાજા મહેરબાન વરસવાના મૂડમાં છે. ત્યારે ભાદરવામાં ભરપુર રીતે વરસાદ વરસી રહ્યો છે..એવામાં ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. તેના લીધે એમ પણ લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર અત્યારથી આપી દેવામાં આવ્યા છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે ગરબાના શોખીનો ચિંતામાં મૂકાઈ ગયા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વરસશે. જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.