Home Election 2022 નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક.. 12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ શપથ...

નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક.. 12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે..

0

ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના (Gandhinagar) હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં નવા અને જૂના ચહેરાઓની પસંદગી અંગે ચર્ચા કરાઇ હતી.

12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. નવા મંત્રીમંડળને લઇને CM નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં નવા અને જૂના ચહેરાઓની પસંદગી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં સિનિયર નેતામાં હર્ષ સંઘવી, ગણપતસિંહ વસાવા, રમણ વોરા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી સહિતના નામની ચર્ચા કરાઇ હતી. જ્યારે નવા ચહેરાઓમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલા,અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગડના નામની ચર્ચા કરાઇ હતી. તો મહિલા ચહેરાઓમાં નિમિષા સુથાર, મનીષા વકીલ,સંગીતા પાટીલ,દર્શના દેશમુખ સહિતના નામની ચર્ચા કરાઇ હતી.


તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયું છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version