Home News Update Nation Update નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે રાજકરણ ગરમાયું…

નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે રાજકરણ ગરમાયું…

0

Published by : Rana Kajal

  • વિપક્ષ દ્વારા ઉદઘાટન સમારંભનો બહિષ્કાર..

નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે રાજકરણ ગરમાયું છે. ઍક બાજુ વિપક્ષ દ્વારા ઉદઘાટન સમારંભનો બહિષ્કાર કરવામા આવ્યો છે. આ બાબતે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે સંસદભવનએ અહંકારની ઈંટોથી નહી પરંતું બંધારણીય મૂલ્યોથી બન્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખુબ માર્મિક ટકોર કરી છે સાથેજ રાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટી NCPના સૂત્રોએ જણાવ્યું છે કે સંસદ ભવનના ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ ને નિમંત્રણ ન આપવું એ લોકશાહી પરંપરાનું અપમાન સમાન છે.. વિરોધ પક્ષના આવા અભિગમ સામે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વિરોધ પક્ષોએ ઐતિહાસિક રાજદંડ સેંગોલ પર રાજકરણ ન કરવું જોઇએ. સાથે જ ખુબ યુકિતપૂર્વક ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સેંગોલ પ્રથમ વડપ્રધાન જવાહર લાલ નહેરુ એ પણ સ્વીકાર્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version