Published by : Rana Kajal
- ગુજરાતના સાંસદોની સંખ્યા 26 ના સ્થાને 42 થશે…
આવનાર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બાદ નવા સીમાંકન માટે આયોગની રચના કરવામાં આવશે. અત્રે નોંધવું રહ્યું કે હાલનું સીમાંકનની મુદ્દત વર્ષ 2027માં પુર્ણ થશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બાદ ઇલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા ECT નવા સીમાંકન અંગે આયોગની રચના કરશે. બીજી બાજુ નવી દિલ્હીમા નવું સંસદ ભવન તૈયાર થઈ ગયુ છે. જેમા સાંસદોની બેઠક ક્ષમતા 888 ની રાખવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં 384 બેઠક વ્યવસ્થા છે. આમ નવા સીમાંકન મુજબ લોકસભાની કુલ બેઠક 800 સુઘી પહોચશે જ્યારે ગુજરાતના સાંસદોની સંખ્યા પણ વધીને 42 સાંસદો થશે. જ્યારે ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભામાં 11ના 17 સાંસદો ચૂંટાશે. સાથે જ એવી પણ આગાહી કરવામાં આવી છે કે નવા સીમાંકનમા શહેરી વિસ્તારોમા વધારો થશે.