ભારત દેશ સતત વિકાસ કરી રહયો છે તે સાથે સાથે યુક્રેન યુધ્ધ હોય કે અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય બાબતો હોય તે તમામ બાબતોમાં ભારતીય વલણ અથવા તો નીતિને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. તે સાથે સાથે સ્વાભાવિક રીતે ભારતનું મહત્વ વધતા ભારતે સરહદી સુરક્ષા અને અન્ય સુરક્ષા અંગે વધુ ચિંતિત રહેવું પડે તે સ્વાભાવિક બાબત છે. આવી પરિસ્થિતિમાં હાલમાં જ નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS પદે નિવૃત્ત લેફ્ટેનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી આ બાબત સુચક છે. પુર્વ CDS બિપીન રાવતના નિધન બાદ આશરે 9 મહિના પછી આ નિયુક્તિ કરવામાં આવી છે. જે સુચક બાબત છે હાલ જયારે ભારત દેશ ચીન અને પાકિસ્તાન જેવા દેશો સામે તમામ ક્ષેત્રે સાવધ રહેવા માંગે છે ત્યારે નવ નિયુક્ત અને વર્ષ 1961માં જન્મેલા CDS અનિલ ચૌહાણની ખાસ યોગ્યતા અંગે જોતા સૌ પ્રથમ તો તેઓ પાસે સેનાનો 4 દાયકાનો અનુભવ છે સેનામાં ફરજ દરમિયાન તેઓને ચીન સાથેની સરહદ સુરક્ષા અને અન્ય ગતિવિધિઓનો વ્યાપક અનુભવ છે. વર્ષ 2019ના બાલકોટ સ્ટ્રાઇકના સમયે પણ CDS અનિલ ચૌહાણ મહત્વના હોદ્દા પર સેનામાં ફરજ બજાવતા હતા. તેઓ આતંવાદ વિરોધી ઓપરેશનમાં પણ નિષ્ણાંત છે. વર્ષ 2019માં મ્યાનમારના આતંક વાદ વિરોધી કાર્યવાહીમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાથેજ CDS અનિલ ચૌહાણ યુધ્ધની વ્યૂહાત્મક ગોઠવણી માટે પણ નિષ્ણાત હોવાના કારણે નિવૃત્ત થયા બાદ પણ તેઓ સતત ઉપયોગી સલાહ અને સુચનો આપતા રહયા હતા.
નવા CDS અનિલ ચૌહાણની આગવી કુશળતાઓ….
RELATED ARTICLES