- રામાનંદ આશ્રમ રાજપીપળાથી નવસારી જતાં ગમખ્વાર અકસ્માત નડ્યો
- સ્ટેપરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઇ
- ઇજાગ્રસ્ત સાધુ-સંતોને સારવાર અર્થે ખસેડાયા
નમઁદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતો મહિન્દ્રા કંપનીની જીનીયા ગાડી નંબર જીજે-૧૨-બીએફ-૩૧૦૭ લઇને રાજપીપળાથી નવસારી પરફ પસાર થઇ રહ્યા હતા.ત્યારે નેત્રંગ-વાડી રોડ ઉપર આવેલ કંબોડીયા-ચાસવડ ગામની વચ્ચે ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડન સમાંતર આવેલ ઝાડ સાથ અથડાઇ હતી.જેમાં ગાડી હંકારનાર રાકેશકુમાર હરીપ્રસાદ સોનકરને (ઉ.૪૧.રહે યુપી) શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોઁચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.વેદાંતી ગુરૂજી વૈષ્ણવ અને કેશવદાસ ગુરૂજી વૈષ્ણવને ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.જ્યારે ગાડીમાં સવાર અન્ય ૧૨ સાધુ-સંતોને શરીરના ભાગે ઇજાઓના સારવાર અથઁ ખસેડવામાં આવ્યા હતા.ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ થયા બાદ ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા,અને સમગ્ર વિસ્તારની પ્રજામાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું.નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.