Home India પગાર શૂન્ય અને જવાબદારી બધીજ…ઝીરો સેલેરી પર કામ કરતો ભારતનો સૌથી ધનિક...

પગાર શૂન્ય અને જવાબદારી બધીજ…ઝીરો સેલેરી પર કામ કરતો ભારતનો સૌથી ધનિક વ્યક્તિ…

0

Published By:-Bhavika Sasiya

  • સતત ત્રણ વર્ષથી પગાર નથી લેતો….સામાન્ય રીતે એવુ માનવામા આવે છે કે જેટલી જવાબદારી વધુ તેટલો પગાર વધુ પરંતુ શૂન્ય પગાર હોવા છતાં તમામ જવાબદારી સંભળાનાર વ્યક્તિ પણ આ દેશમાં છે.

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ફરી એકવાર બતાવ્યું છે કે તેમનું દિલ કેટલું મોટું છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સતત ત્રીજા વર્ષે કોઈ પગાર લીધો નથી. એટલે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમની કંપનીમાં કોઈપણ પગાર વગર કામ કરે છે. જ્યારે કોવિડ રોગચાળાને કારણે અર્થવ્યવસ્થા અને વ્યવસાયને અસર થઈ રહી હતી, ત્યારે મુકેશ અંબાણીએ કંપનીના હિતમાં સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો. રિલાયન્સના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં અંબાણીની મહેનતાણું શૂન્ય હતું. છેલ્લા ત્રણ વર્ષમાં, મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા માટે પગાર સિવાયના કોઈપણ પ્રકારના ભથ્થાં, અનુદાન, નિવૃત્તિ લાભો, કમિશન અથવા સ્ટોક વિકલ્પો લીધા નથી. અંગત ઉદાહરણ આપતા અંબાણીએ પોતાનો પગાર 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કર્યો હતો. તે 2008-09થી 15 કરોડનો પગાર લેતો હતો.જૉકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નિખિલ મેસવાણીનો પગાર પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23માં વાર્ષિક રૂ. 1 કરોડ વધીને રૂ. 25 કરોડ સુધી પહોંચી ગયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version