પતંગ રસિકો માટે આ વખતે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ઉત્તરાયણ પર્વે પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. વર્ષનો એક માત્ર હિંદુ તહેવાર જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવાય છે. આ તહેવાર એટલે ઉત્તરાયણ. હિન્દૂ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે સૂર્ય જયારે પૂર્વ દિશામાં થી ઉત્તર દિશા તરફ અયન કરે છે એટલે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.સાથે જ એવું પણ માનવામાં છે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશે એટલે તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે મંદિરોમાં તલસાંકળી શેરડી,અનાજનું દાન કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે.સાથે જ ગાયને ઘાસ ખવડાવવું તેમજ સૂર્યદેવની પૂજાનું પણ મહત્વ હોય છે.
આ વર્ષે પતંગ રસિકોના મન ખુશ કરી દે એવા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.કેટલાક વર્ષોથી પવનની ગતિ ઉતરાયણના દિવસ કરતા વાસી ઉત્તરાયણના દિવસે વધારે હોય છે એનાથી પતંગ રસિકોમાં નિરાશા જોવા મળે છે. છે પરંતુ આ વર્ષે આખો દિવસ પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરવામા આવી છે. ત્યારે જોવાનું રહેશે હવામાન વિભાગની આ આગાહી કેટલી હદે સાચી પડે છે અને પતંગ રસિકો મન મૂકી ને પતંગ ઉત્સવ માણી શકે છે.સાથે જ ચેનલ નર્મદા દ્વારા અપીલ કરવામાં આવે છે કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરીને પંખી તેમજ વ્યક્તિઓનું જીવન બચાવવા પ્રયાસ કરીએ.