Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsપાકિસ્તાન પ્રવાસ પહેલા જ કેન વિલિયમસને ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દેવાનો...

પાકિસ્તાન પ્રવાસ પહેલા જ કેન વિલિયમસને ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દેવાનો કર્યો નિર્ણય…

ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કેન વિલિયમસને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. 32 વર્ષીય કેન વિલિયમસને આ નિર્ણય પાકિસ્તાન પ્રવાસ માટેની ટીમની પસંદગી પહેલા જ ટેસ્ટ ટીમનુ સુકાન છોડી દેવા માટે જણાવ્યુ છે. ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ વતી પાકિસ્તાનમાં સુકાન સંભળાવની જવાબદારી હવે ટિમ સાઉથીને મળનારી છે. ન્યુઝીલેન્ડની ટીમ આગામી 26 ડિસેમ્બરથી પાકિસ્તાન પ્રવાસની શરુઆત ટેસ્ટ ક્રિકેટથી કરનાર છે.

વિલિયમસન ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટની ટીમ માટે કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો. જ્યારે તેને ટિમ સાઉથી અને લાથમ તેને ડેપ્યુટી તરીકે સાથ આપી રહ્યા હતા. પરંતુ હવે ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી તેના ઉપકપ્તાન ટિમ સાઉથીને મળશે. વિલિયમસને ન્યુઝીલેન્ડને 2021માં આઈસીસ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપને જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ તેના માટે મોટી સિદ્ધી હતી. ભારત સામે ફાઈનલમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી.

કેન વિલિયમસે કહ્યું, “મને ટેસ્ટ ક્રિકેટમાં હંમેશા પડકાર ગમ્યો છે. ટીમની કેપ્ટનશિપ કરતી વખતે મેં તેનો સામનો કર્યો હતો. જો તમને કેપ્ટનશીપ મળે છે, તો તે તમારી સાથે મેદાનની અંદર અને બહાર દબાણ પણ લાવે છે. મારી કારકિર્દીના જે તબક્કે હું અત્યારે ઉભો છું, મને લાગ્યું કે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. આગળ કહ્યું, “આગામી 2 વર્ષમાં સફેદ બોલના ક્રિકેટના બે વર્લ્ડ કપ છે, તેને ધ્યાનમાં રાખીને મેં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથે વાત કર્યા બાદ આ પગલું ભર્યું છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!