- આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન સામે હવે આતંકવાદીઓ ખુલ્લે આમ મેદાને પડ્યા
સમગ્ર વિશ્વમાં આતંક વાદીઓને આશરો આપવા અંગે કુખ્યાત થયેલા પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓ ખુલ્લે આમ મેદાને પડ્યા હોવાથી પકિસ્તાનની આંતરિક પરિસ્થિતી ખુબ સ્ફોટક અને ખતરનાક બની ગઈ છે.
તાજેતરની ઍક નોધપાત્ર આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલી વિગત જોતાં પાકિસ્તાનનાં નવા સેના પ્રમૂખ અસીમ મુનીરે તાજેતરમા સેના પ્રમૂખ પદ નો ચાર્જ સંભાળ્યો તે સાથે આતંકી સંગઠન તહેરિક એ તાલિબાને પકિસ્તાન સાથે થયેલ સમજૂતી પુર્ણ થયેલ જાહેર કરી હતી. સાથેજ એવો આદેશ પણ આપ્યો કે જ્યાં પણ તક મળે ત્યા આતંકવાદી હૂમલા કરો. લડાકુઓને આપેલ સૂચના રાજકિય અને પાકિસ્તાનની આતંરિક સુરક્ષા માટે પણ ખતરનાક સાબીત થઈ શકે તેમ છે.
પાકિસ્તાનમાં પુર્વ વડાપ્રધાન ઇમરાનખાનની રાજકિય ગતિવિધિ સામે આતંક વાદી સંગઠન તહેરિક એ તાલિબાન સાથે ઍક ડીલ કરવામાં આવી હતી. જે મુજબ આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં કોઇ ઘટનાને અંજામ નહિ આપે. તેથીજ છેલ્લાં છ મહિના દરમિયાન પાકિસ્તાન માં કોઇ આતંકવાદી ધટના બની ન હતી.
પરંતુ પાકિસ્તાનનાં સેનાનાં જવાનો આતંકવાદીઓ પર આયોજીત હૂમલા કરતા રહ્યાં. તેવામાં હાલમા પાકિસ્તાનનાં મારવત જિલ્લામાં સેનાના જવાનોએ આતંકવાદીઓ પર હુમલો કર્યો જેમાં તહેરીક એ તાલિબાનના કમાંડર ટીપુ અને સાથે બીજા દસ આતંકવાદીઓનાં મોત નીપજ્યા હતા. તેથી ખુબ જ ગુસ્સે ભરાયેલા આતંકવાદી સંગઠને પાકીસ્તાન સરકાર સામે હવે ખુલ્લેઆમ જંગનું એલાન કર્યું છે. જે સૂચક છે આ આતંકવાદી સંગઠન કેટલુ ખતરનાક છે તે માટે ઍક ઉદાહરણ કાફી છે કે આ આતંકવાદી સંગઠને શાંતિ નુ નોબેલ પ્રાઈઝ મેળવનાર મલાલા યુસુફજઈ પર આ સંગઠને ફાયરિંગ કર્યું હતું. જ્યારે આજ આતંક વાદી સંગઠને પકિસ્તાન માં આર્મી સ્કૂલ પર હૂમલો કરી ૧૩૧ માસૂમ બાળકો સહિત ૧૫૦ લોકોનાં મોત નીપજાવ્યા હતાં.આ આતંક વાદી સંગઠન માં પાંચ હજાર થી વધૂ આતંકવાદીઓ જોડાયા છે. આવી પરિસ્થિતિ માં હવે પાકિસ્તાન માં કેવી અરાજકતા ફેલાય છે તે જોવું રહ્યુ.