Home Devotional પાવાગઢમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુદ્દે કલેકટરને આવેદન…

પાવાગઢમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુદ્દે કલેકટરને આવેદન…

0

Published By : Patel Shital

  • પાવાગઢમાં છોલેલા શ્રીફળ ઉપર પ્રતિબંધને ઔરંગઝેબી ફરમાન સમાન ગણાવી હિન્દુ પરંપરાને કાયમ રાખવા ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેકટરને આવેદન આપ્યું.

ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદે બુધવારે જિલ્લા વહીવટી તંત્રને આવેદન પાઠવ્યું હતું. લાખો હિન્દુઓની આસ્થાના સ્થળ પાવાગઢ મહાકાળી શક્તિપીઠ ખાતે છોલેલા નારિયેળ ઉપર પ્રતિબંધને આવેદનમાં ઔરંગઝેબી ફરમાન ગણાવ્યું હતું.

હિન્દુ પરંપરાને ટ્રસ્ટીઓ કાયમ રાખી પરંપરા ચાલુ રાખે તેવી માંગણી કરાઈ હતી. વધુમાં મંદિર ટ્રસ્ટે વ્યવસ્થા માટે માલિક નહિ હોવાનો સુર વ્યક્ત કરી તેઓને હિન્દુ પરંપરાને તોડવા, અસ્થાને ઠેસ પહોંચાડવા કે લાગણી દુભાવવાનો કોઈ અધિકાર નહિ હોવાનો સુર વ્યક્ત કરાયો છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/PAVAGADH.mp4

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version