Published by : Rana Kajal
હમણાં પીઝા ખાવ, પૈસા મર્યા પછી ચુકવજો… આજે રોકડા અને ઉધાર કાલેની નીતી કેટલી યોગ્ય..? ખાણીપીણીના વેપારીઓ હોય કે કરિયાણાના વેપારીઓ હોય આવા તમામ વેપારીઓ ઉધાર આપવામાં ખચકાટ અનુભવે છે ત્યારે મોટા ભાગની દુકાનો પર એવા પાટિયા પણ જણાય છે કે” આજે રોકડા અને કાલે ઉધાર” આવી પરિસ્થિતીમાં ન્યુઝીલેન્ડની ઍક પીઝા કંપનીએ નવી માર્કેટિંગ પ્રમોશન યોજના અમલમાં મુકી છે. જેમાં ગ્રાહકે પીઝા ઉધાર ખાધા પછી તેના નાણાં મર્યા પછી ચુકવવા અંગેની સગવડ કંપનીએ આપી છે… જૉકે આ પદ્ધતિમાં કંપની સાથે ગ્રાહકે એવો કરાર કરવો પડશે કે ગ્રાહકના મોત બાદ તેના વારસદારો બીલ ચૂકવશે. આવી ઍક અનોખી યોજના ન્યુઝીલેન્ડની હેલ પીઝા નામની પીઝા ચેઇન કંપનીએ પીઝા નુ વેચાણ વધારવા અમલમાં મુકી છે.આ યોજનામાં થતી ચુકવણીને ” મર્યા પછીની ચુકવણી”તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે રોકડા અને કાલે ઉધારના પાટિયા મારતા વેપારીઓ માટે આ ઉદાહરણ બોધપાઠ રૂપ છે