Home News Update Crime પુણેમાં અંધશ્રદ્ધાની ચરમસીમા…નવા જીવ માટે મૃતકના હાડકાનો પાવડર ખવડાવ્યો….

પુણેમાં અંધશ્રદ્ધાની ચરમસીમા…નવા જીવ માટે મૃતકના હાડકાનો પાવડર ખવડાવ્યો….

0
  • 7 લોકો પર કેસ નોંધાયો..

મહારાષ્ટ્રના પુણેમાં અંધશ્રઘ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાસરિયાઓએ બાળકની લાલચમાં એક મહિલાને મૃત લોકોના હાડકામાંથી બનાવેલો પાવડર ખવડાવ્યો હતો. મહિલાને ગર્ભ ધારણ કરવા માટે તાંત્રિક દ્વારા આ પાઉડર ખવડાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેના સાસરિયાઓ અને પતિએ તેનો સાથ આપ્યો હતો. આ અંગે મહિલાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીઓ સામે બે કેસ નોંધ્યા છે. પહેલા કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 2019માં લગ્ન સમયે તેના સાસરિયાઓએ દહેજની માંગણી કરી હતી જેમાં કેટલીક રોકડ, સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. બીજા બનાવમાં લગ્ન બાદ મહિલાને વિવિધ અંધશ્રદ્ધાકીય પ્રવૃતિમાં ધકેલી દેવામાં આવી હતી.ડીસીપી શર્માએ કહ્યું કે ફરિયાદને ગંભીરતાથી લઈને સાત આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્મશાનગૃહની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાનો પરિવાર શિક્ષિત છે, પરંતુ તેમ છતાં તે આવી હરકતો કરે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version