Home News Update My Gujarat પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓના કારણે સરકારનો નવો અભિગમ…

પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓના કારણે સરકારનો નવો અભિગમ…

0

Published by : Rana Kajal

રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં નવી પદ્ધતિની વિચારણા, તલાટીની પરીક્ષા બે તબક્કામાં લેવાય તેવી સંભાવના….
પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓના પગલે ગુજરાત સરકારની છબી ખરડાઈ છે ત્યારે હવે સરકાર આ સમસ્યાના નિવારણ અંગે નવો અભિગમ વિચારી રહી છે.ગુજરાત સરકાર નવી ભરતી પ્રક્રિયામાં ચોક્કસ પોલીસી બનાવવાની તૈયારી કરી રહી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બે દિવસ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી. જે બાબતે મંત્રી હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. પરંતુ તે માટે પુરતા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો મંગાવવામાં આવી હોવાની પણ વાત કરી છે. અને આ વિગતો આવ્યા બાદ નવી તારીખ જાહેર કરવાનુ જણાવ્યુ હતુ. જોકે સરકાર ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારની વિચારણા છે તેથી તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાય તેવી સંભાવના છે. ગુજરાતમાં સતત પેપર ફૂટવાની ઘટનાને રોકવા માટે સરકાર કડક કાયદો બનાવવાની સાથે પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે. અને તે માટે નિષ્ણાંતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કડક કાયદો બનાવવા માટે આગામી બજેટ સત્રમાં બીલ લાવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેમાં પેપર લીક કરનાર અને પેપર લીકની ઘટના સાથે સંકાળેયેલા લોકો સામે કડક પગલા ભરાય અને તેમને સજા મળે તેવી જોગવાઈઓ કરવા માટે આગામી બજેટ સત્રમાં બીલ પાસ કરવામાં આવશે. આ સિવાય ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. જેમાં નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી ભરતી પણ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં વિચારણા ચાલી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version