પ્રસિધ્ધ યાત્રાધામ એવા અંબાજી મંદીર ખાતે ખૂબ મોટી સંખ્યામા ભકતો દર્શન કરવા આવતા હોય છે ત્યારે મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશ કરવા અંગે મનાઈ ફરમાવવામાં આવી છે. હવે યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રવેશતા અગાઉ મોબાઈલ ચેકીંગ અંગેનુ ચેકીંગ કર્યાં બાદ જ ભકતોને પ્રવેશ આપવાનો આદેશ સુરક્ષા કર્મીઓને વહીવટદાર દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવાનો પણ આદેશ જારી કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખ કરવો રહયો કે યાત્રાધામ અંબાજી વિશ્વનું એકમાત્ર શક્તિપીઠ છે કે જ્યા માતાજીના યંત્રની પૂજા થાય છે.
મંદીરના પ્રવેશદ્વારો પર યાત્રિકોનું સઘન ચેકીંગ કરી પ્રવેશ આપવાનો આદેશ આપવામા આવ્યો છે.યાત્રાધામ અંબાજી મંદિરમાં ગેટ ન 7, 8, અને 9 ના પ્રવેશદ્વાર થી મોબાઈલ લઇને પ્રવેશતા યાત્રિકોને મોબાઈલનું કડક ચેકીંગ કરી મોબાઈલ વિના જ મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે સુરક્ષા વિભાગને પણ જાણ કરવા માં આવી છે. એટલુંજ નહીં મંદિર પરિસર અને મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયેલા ઈસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.