Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeપ્રેમનો આ તે કેવો કરૂણ અંજામ....

પ્રેમનો આ તે કેવો કરૂણ અંજામ….

  • આફતાબ “શ્રદ્ધાના” મૃતદેહના 35 ટુકડા કરી જંગલમાં ફેંકતો હતો
  • મૃતદેહના 35 ટુકડા કરી ગંધ ન આવે એ માટે બજારમાંથી એક મોટું નવું ફ્રિજ ખરીદ્યું હતું
  • લિવ-ઈનમાં રહેતાં શ્રદ્ધા અને આફતાબ
  • લવ જિહાદ નો કિસ્સો બની શકે છે

મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયાં, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આ સનસનીખેજ હત્યાનો મામલો દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જોકે હત્યાની આ ઘટના 6 મહિના જૂની છે અને આમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે, જેનું નામ આફતાબ છે.

મુંબઈમાં મુલાકાત, બંને દિલ્હીમાં લિવ-ઈનમાં રહેતાં હતાં

કહાનીની શરૂઆત માયાનગરી મુંબઈથી થાય છે, જ્યાં મુંબઈના મલાડ વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધાની મુલાકાત આફતાબ સાથે થઈ હતી. બંને મિત્રો બન્યાં અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી.
શ્રદ્ધાના પરિવારે વિરોધ કરતાં બંને દિલ્હી જતાં રહ્યાં હતાં. થોડા દિવસ મુંબઈમાં રહ્યા પછી બંને દિલ્હી આવ્યાં અને અહીં જ રહેવા લાગ્યાં હતાં. દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ. શ્રદ્ધાના પરિવારજનો ફોન દ્વારા દીકરી વિશે માહિતી મેળવતા હતા.

દીકરીએ ફોન ઉપાડવાનું બંધ કરતાં પરિવારજનો દિલ્હી પહોંચી ગયા હતા

18 મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ચિંતા થતાં પિતા વિકાસ મદન દીકરીની હાલત જાણવા 8મી નવેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. પિતાને દિલ્હીમાં દીકરી ન મળતાં તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પુત્રીના અપહરણનો આરોપ લગાવ્યો હતો. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી મુંબઈના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં તેની મુલાકાત આફતાબ નામના યુવક સાથે થઈ અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી.શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કરતાં આફતાબે હત્યા કરવાનું કાવતરું ઘડ્યુંદિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને 18 દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે.

બજારમાંથી એક મોટું નવું ફ્રિજ ખરીદ્યું હતું
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી આફતાબ 18 દિવસ સુધી રાત્રે 2 વાગે ઘરની બહાર નીકળતો હતો અને શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ એક પછી એક મહેરૌલીનાં જંગલોમાં ફેંકી ઠેકાણે પાડતો હતો. આરોપી એટલો ચાલાક હતો કે 18 દિવસ સુધી શ્રદ્ધાના મૃતદેહના ટુકડામાંથી ગંધ ન આવે એ માટે તેણે બજારમાંથી એક મોટું ફ્રિજ ખરીદ્યું અને એમાં શ્રદ્ધાના શરીરના ટુકડા છુપાવી રાખ્યા હતા. તેણે મે મહિનામાં શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરીને તેના મૃતદેહના 35 જેટલા ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં આ ટુકડાને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
આરી વડે મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતાપોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શરીરના ટુકડા કરવા માટે આરીનો ઉપયોગ કર્યો હતો. તેણે પહેલા તેના હાથના ત્રણ ટુકડા કર્યા. આ પછી પગના ત્રણ ટુકડા પણ કર્યા. આ પછી તે દરરોજ એને થેલીમાં લઈને મોડી રાત્રે ઘરની બહાર નીકળીને જંગલમાં ફેંકવા માટે લઈ જતો.પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!