Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપ્રેમ સંબંધમા આપઘાત કરનારા પ્રેમી-પંખીડાના પરિવારે પ્રતિમા બનાવી લગ્ન કરાવ્યા…

પ્રેમ સંબંધમા આપઘાત કરનારા પ્રેમી-પંખીડાના પરિવારે પ્રતિમા બનાવી લગ્ન કરાવ્યા…

Published by : Anu Shukla

ગુજરાતના તાપી જિલ્લામાં પ્રેમ સંબંધનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. તાપીના નેવાળા ગામમાં પરિવારજનોએ પ્રેમ સંબંધ ન સ્વીકારતા યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો હતો. જીવતા એક ન થઈ શકેલા આ પ્રેમીપંખીડાના મૃત્યુ બાદ પરિવારે તેમને એક કર્યા અને પ્રતિમા બનાવીને લગ્ન કરાવ્યા હતા.

પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી પરિવાર ઠપકો આપ્યો હતો

તાપીના નિઝરમાં આવેલા નેવાળા ગામમાં ગણેશ અને રંજના નામના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંનેએ પતિ-પત્ની તરીકે રહેવાનું નક્કી કર્યું હતું અને મનોમન એકબીજાને પરણી ગયા હતા. ગણેશ એક રાત્રે રંજનાને લઈને ઘરે ગયો હતો, જોકે તેના પિતાને આ સંબંધ મંજૂર ન હોવાથી તેમણે ઠપકો આપ્યો હતા. જેથી બંને પ્રેમી-પંખીડા ઘરેથી નીકળી ગયા અને આમલીના ઝાડ પર દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

6 મહિના પહેલા પ્રેમી-પંખીડાએ આપઘાત કર્યો હતો

આ સમગ્ર બનાવ વર્ષ 2022માં ઓગસ્ટ મહિનામાં બન્યો હતો. જોકે હવે બંનેના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ તેને એક કરવાનું નક્કી કર્યું અને સંતાનોને એક કર્યા. તેમણે ગણેશ અને રંજનાની એક પ્રતિમા બનાવડાવી અને તેમના આદિવાસી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરાવ્યા. આમ જીવતા એક ન થઈ શકેલા પ્રેમી-પંખીડાને પરિવારે મૃત્યુ બાદ લગ્ન ગ્રંથિથી જોડીને એક કર્યા હતા અને તેમનું સપનું પૂરું કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!