Published by : Rana Kajal
પશ્ચિમ બંગાળમાં અનેક હિન્દુઓને મુસ્લિમ બનાવાયા હોવાનો દાવો રાષ્ટ્રીય NCBC ના અઘ્યક્ષ હંસરાજે કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે અનેક બાંગ્લાદેશીઓને ઓબીસીની યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. હંસરાજે જણાવ્યુ કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ દ્વારા પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આયોગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળના સરકારી સંસ્થાનની કલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં હિંદુઓ મોટા પ્રમાણમાં ઇસ્લામ ધર્મ અપનાવી મુસ્લિમ બની ગયા છે